For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલનું પોસ્ટર 'હું ઇમાનદાર બાકી બધા બેઇમાન'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 સપ્ટેમ્બર: જન અભિયાન, દિલ્હી દ્વાર જાહેર કરવામાં આવેલા પોસ્ટર દ્વારા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની મજાક ઉડાડવામાં આવી છે. દિલ્હીના ચોક અને મુખ્ય સ્થાનો પર આ પોસ્ટર લગાવવામાં આવ્યા છે, જેમાં અરવિંદ કેજરીવાલને એક પોપટના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે, ફોટાની ઉપર 'હું ઇમાનદાર અને બાકી બધા બેઇમાન' લખ્યું છે, તો બીજા ફોટાની નીચે 'અપને મિયાં મિઠ્ઠુ' લખીને તેમની મજાક ઉડાડવામાં આવી છે. આ પોસ્ટરોને લઇને અણ્ણા હજારેના પૂર્વ સહયોગી અરવિંદ કેજરીવાલે નવા સવાલ ઉભા કર્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ આ વાતને લઇને નારાજગી છે.

આ પ્રકારનું એક પોસ્ટર ભાજપના પ્રદેશ મુખ્યાલય પરિસરના ખૂણામાં રાખવામાં આવ્યું છે. જેથી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ અને ભાજપ બંને મળીને તેમની મજાક ઉડાવી રહ્યાં છે. તેમને કહ્યું હતું કે હવે ખબર પડી ગઇ કે તેમની પાર્ટીમાં ઇમાનદાર લોકોની શું વેલ્યૂ છે. જો ભાજપ અને કોંગ્રેસના લોકોમાં હિંમત છે તો તે જનતાની સામે આવીને કહે કે તે ઇમાનદાર છે, પછી જનતા તેમની મજાક ઉડાવશે.

arvind-kejriwal-100

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે ટાઇમ્સ નાઉ અને સી વોટર દ્વારા આવેલા સર્વેમાં દર્શાવવામાં આવ્યું હતું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિના સરકાર નહી બને. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તફાવત ઉભો કરશે. અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે ભાજપ અને કોંગ્રેસ બધા મળેલા છે, ભાજપના શાસનકાળમાં કોંગ્રેસ તો કોંગ્રેસના શાસનકાળમાં ભાજપનો ધંધો ચાલે છે.

English summary
Arvind Kejriwal showed disappointment for the posters in which he has been mocked for self praise.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X