Delhi Floor Test: દિલ્લીના CM અરવિંદ કેજરીવાલ આજે કોર્ટમાં થઈ શકે છે હાજર, વિશ્વાસ મત પર આજે વોટિંગ
Delhi Floor Test: દિલ્હી વિધાનસભામાં શુક્રવારે રજૂ કરાયેલા વિશ્વાસ પ્રસ્તાવ વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થવાનુ છે. નોંધનીય છે કે ઈડીએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે ઘણી વખત સમન્સ મોકલ્યા હતા પરંતુ જ્યારે દિલ્હીના સીએમે તેની અવગણના કરી તો એજન્સી કોર્ટ પહોંચી ગઈ, જ્યાં તેમને આજે હાજર થવાનુ છે.
તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈ કાલે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આમ આદમી પાર્ટી પાસે કુલ 70 બેઠકોમાંથી 62 ધારાસભ્યો હોવા છતાં કેજરીવાલે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

પ્રસ્તાવ રજૂ કરતી વખતે સીએમ કેજરીવાલે કહ્યું કે તેઓ લોકોને બતાવવા માંગે છે કે રાજ્યની જનતાને એ બતાવવાની જરૂર છે કે ગૃહને મંત્રી પરિષદ પર સંપૂર્ણ વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીના કોઈપણ ધારાસભ્યએ પક્ષપલટો કર્યો નથી. ગૃહની કાર્યવાહી શનિવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. આજે 17 ફેબ્રુઆરીએ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થશે.
અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું, "અમે જોઈ શકીએ છીએ કે પક્ષો તોડવામાં આવી રહ્યા છે અને ખોટા કેસ દાખલ કરીને અન્ય રાજ્યોમાં સરકારોને તોડી પાડવામાં આવી રહી છે. દિલ્હીમાં, તેઓ દારૂની નીતિ કેસના બહાના હેઠળ આમ આદમી પાર્ટીના નેતાઓની ધરપકડ કરવા માગે છે.
તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે તેઓ દિલ્હી સરકારને તોડી પાડવા માંગે છે કારણ કે તેઓ જાણે છે કે તેઓ દિલ્હીમાં ક્યારેય ચૂંટણી જીતી શકશે નહીં. લોકોને એ બતાવવા માટે કે અમારા કોઈપણ ધારાસભ્યો તૂટ્યા નથી અને તે બધા અકબંધ છે હું વિશ્વાસની પ્રસ્તાવ મૂકુ છુ.''
કેજરીવાલનું પગલું એ અઠવાડિયા પછી આવ્યું છે જ્યારે તેમણે ભાજપ પર તેમની સરકારને તોડવાના હેતુથી આપ ધારાસભ્યોને "ખરીદવાનો" પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભાજપેઆપના સાત ધારાસભ્યોને પક્ષ બદલવા માટે 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. ભાજપે એવી ધમકી પણ આપી હતી કે ટૂંક સમયમાં જ દારૂ નીતિ કેસમાં તેની ધરપકડ કરવામાં આવશે.
તેમના દાવા બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અરવિંદ કેજરીવાલને આરોપોની તપાસમાં સામેલ થવા માટે નોટિસ મોકલી હતી. પોલીસે તેને તેના દ્વારા કરાયેલા આરોપો સાબિત કરવા કહ્યું હતું. નોટિસમાં મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટીના સાત સાંસદોના નામ જાહેર કરવા પણ કહેવામાં આવ્યું છે જેમનો કથિત હોર્સ ટ્રેડિંગ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.
#WATCH | Delhi CM Arvind Kejriwal says, "We can see that parties are being broken & governments are being toppled in other states by slapping false cases. In Delhi, they intend to arrest AAP leaders under the pretext of liquor policy case. They want to topple the Delhi Government… https://t.co/vuJF4CK7qG pic.twitter.com/trbjaxxPLn
— ANI (@ANI) February 16, 2024












Click it and Unblock the Notifications
