અણ્ણાનો સાથ છૂટતા કેજરીવાલ પર વિરોધનો જુવાળ ફાટી નિકળ્યો

Arvind Kejriwal
નવી દિલ્હી, 22 સપ્ટેમ્બર: અણ્ણા હઝારે અને અરવિંદ કેઝરીવાલ અલગ અલગ શું થયા લોકોએ તેમના માટે જાતભાતની વાતો કરવા માંડી છે. જોકે આ સમગ્ર ઘટના માટે લોકો અરવિંદ કેજરીવાલને જ દોષી માને છે.

ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન સાથે જોડાયેલ પ્રીતિ ગર્ગ સાથે થયેલી વાતચીતમાં તેમણે ગુસ્સાથી જણાવ્યું હતું કે ‘ કેજરીવાલના મનમાં પણ લાલચ આવી ગઇ છે, તેમને પણ રાજનીતિનું આકર્ષણ થઇ ગયું છે, માટે જ અણ્ણાએ તેમનાથી છેડો ફાડી દીધો છે.

અણ્ણા આંદોલનના કાર્યકર્તા સ્ટેટ બેંક ઓફ વારાણસીના બ્રાંચ મેનેજર સુશીલ કુમારસિંહે ફેસબુક પર જણાવ્યું કે ‘અરવિંદ કેજરીવાલ કઇક વધારે જ બુદ્ધીમાન છે. તેમને જે જોઇતુ હતું તે મળી ગયું છે. અણ્ણાના આંદોલન બાદ તેઓ ફેમશ થઇ ગયા છે. તેઓ પણ રાજનૈતિક પક્ષ રચી પોતાનું ખીચું ગરમ કરવા માગે છે. જોકે જનતા તેમને સાથ નહીં આપે.'

અણ્ણા હઝારેએ બુધવારે મીડિયાને જણાવ્યું હતું કે કેજરીવાલને પાર્ટી બનાવવી હોય તો બનાવે હું તેમની સાથે નથી, અને તેમના માટે પ્રચાર પણ કરવાનો નથી. અણ્ણાએ તો ત્યાં સુધી કહી દીધું કે કેજરીવાલ અને તેમની ટીમ પ્રચાર માટે મારું નામ અને તસવીરનો પણ ઉપયોગ ના કરે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X