કેજરીવાલે કર્યા અક્ષરવાસી પ્રમુખસ્વામીના દર્શન...
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલે આજે ગુજરાતના સાળંગપુર ખાતે અક્ષરવાસી પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
વહેલી સવારે દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર ઉતરેલા અરવિંદ કેજરીવાલ થોડીવાર અમદાવાદ રોકાયા હતા. જ્યાં તેમણે આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તાઓને મળીને વાતચીત કરી. નોંધનીય છે કે 2017ની વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું ખાતું ખોલવા માટે દ્રઢ પણે કટીબદ્ધ છે.

જે બાદ તે સીધા સાળંગપુર જવા નીકળી ગયા હતા. જ્યાં તેમણે અંતર્ધાન થયેલા પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા હતા અને જણાવ્યું હતું કે આવી અલૌકિક વિભૂતિ પૃથ્વી પર સૈકાઓ બાદ આવતી હોય છે સ્વામી બાપાએ સમગ્ર જીવન લોકો માટે કામ કર્યુ છે અને તેમનું ઋણ ક્યારેય ચૂકવી નહી શકાય.
નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ સિવાય અન્ય જાણીતી હસ્તીઓ જેમ કે અમિતાભ બચ્ચન પણ આજે બાપાના દર્શન કરવા આવશે તેવી શક્યતા છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
