Arvind Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલના રાજીનામાં પર અન્ના હજારેએ શું કહ્યું?
Arvind Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલએ રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ અન્ના હજારેની પ્રતિક્રિયા સામે આવી છે.
ક્યારેય અરવિંદ કેજરીવાલના ગુરૂ રહેલા અન્ના હજારેએ રાજીનામું આપવાની જાહેરાત પર કહ્યું છે કે મેં તો પહેલા જ કહ્યું હતું કે રાજનીતિમાં ન જાઓ.

અન્ના હજારેએ કહ્યું કે, હું પહેલાથી જ કેજરીવાલને કહેતો હતો કે રાજકારણમાં ન જાવ. સમાજની સેવા કરો અને તમે મહાન માણસ બનશો. અમે ઘણા વર્ષો સુધી સાથે હતા. તે સમયે મેં તેમને વારંવાર કહ્યું કે રાજકારણમાં ન જાવ. સમાજ સેવા સુખ આપે છે. પરંતુ તેના દિલમાં શું છે મને ખબર નથી.
જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર નહીં બેશે.
એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયેલા કેજરીવાલે કહ્યું કે આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક થશે અને પાર્ટીના એક નેતાની પસંદગી કરશે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે પરંતુ હું મહારાષ્ટ્રની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરું છું. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે.
કેજરીવાલે કહ્યું કે, હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. તેમણે એમ પણ કહ્યું કે હું મુખ્યમંત્રી બનીશ અને સિસોદિયા ત્યારે જ નાયબ મુખ્યમંત્રી બનશે જ્યારે લોકો કહેશે કે અમે ઈમાનદાર છીએ.
-
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત






Click it and Unblock the Notifications
