Arvind Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલના રાજીનામાં પર અન્ના હજારેએ શું કહ્યું?
Arvind Kejriwal Resignation : અરવિંદ કેજરીવાલએ રાજીનામું આપવાની જાહેરાત કર્યા બાદ અન્ના હજારેની પ્રતિક્રિયા સામે આવી છે.
ક્યારેય અરવિંદ કેજરીવાલના ગુરૂ રહેલા અન્ના હજારેએ રાજીનામું આપવાની જાહેરાત પર કહ્યું છે કે મેં તો પહેલા જ કહ્યું હતું કે રાજનીતિમાં ન જાઓ.

અન્ના હજારેએ કહ્યું કે, હું પહેલાથી જ કેજરીવાલને કહેતો હતો કે રાજકારણમાં ન જાવ. સમાજની સેવા કરો અને તમે મહાન માણસ બનશો. અમે ઘણા વર્ષો સુધી સાથે હતા. તે સમયે મેં તેમને વારંવાર કહ્યું કે રાજકારણમાં ન જાવ. સમાજ સેવા સુખ આપે છે. પરંતુ તેના દિલમાં શું છે મને ખબર નથી.
જણાવી દઈએ કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ બે દિવસ પછી પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે અને દિલ્હીમાં વહેલી ચૂંટણીની માંગ કરશે. તેમણે કહ્યું કે જ્યાં સુધી લોકો તેમને ઈમાનદારીનું પ્રમાણપત્ર નહીં આપે ત્યાં સુધી તેઓ મુખ્યમંત્રી પદ પર નહીં બેશે.
એક્સાઇઝ પોલિસી સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે તિહાર જેલમાંથી જામીન પર મુક્ત થયેલા કેજરીવાલે કહ્યું કે આગામી થોડા દિવસોમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક થશે અને પાર્ટીના એક નેતાની પસંદગી કરશે.
તેમણે કહ્યું કે દિલ્હીમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે પરંતુ હું મહારાષ્ટ્રની સાથે રાષ્ટ્રીય રાજધાનીમાં નવેમ્બરમાં ચૂંટણી કરાવવાની માંગ કરું છું. સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હું મુખ્યમંત્રીની ખુરશી પર ત્યારે જ બેસીશ જ્યારે લોકો મને ઈમાનદારીનું પ્રમાણપત્ર આપશે.
કેજરીવાલે કહ્યું કે, હું જેલમાંથી બહાર આવ્યા બાદ અગ્નિપરીક્ષા આપવા માંગુ છું. તેમણે એમ પણ કહ્યું કે હું મુખ્યમંત્રી બનીશ અને સિસોદિયા ત્યારે જ નાયબ મુખ્યમંત્રી બનશે જ્યારે લોકો કહેશે કે અમે ઈમાનદાર છીએ.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
