For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની પાર્ટીએ ગડકરી સામે કરી ફરિયાદ

|
Google Oneindia Gujarati News

arvind kejriwal
નાગપૂર, 30 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીએ આવક વિભાગના અધિકારી વિરોધી ટિપ્પણી પર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી સામે ફરિયાદ નોંધાવી છે. ગડકરીએ ભાજપા અધ્યક્ષ પદથી હટ્યાના એક દિવસ બાદ 24 જાન્યુઆરીના રોજ નાગપુર હવાઇ મથકે જણાવ્યું હતું કે હવે તેઓ હોદ્દોની મર્યાદાથી બંધાયેલા નથી.

તેમણે આયકર અધિકારીઓને ધમકી આપી હતી અને દાવો કર્યો હતો કે જ્યારે કેન્દ્રમાં ભાજપની સરકાર બનાવશે તો અધિકારીઓને કોઇ બચાવશે નહી. એએપી નેતા ગિરિશ નંદગાવંકરે ગઇકાલે રાત્રે સોનેગાવ હવાઇમથક પોલીસ સ્ટેશનમાં ગડકરી સામે ફરિયાદ નોંધાવી છે.

નાગપુરમાં સભાને સંબોધન કરતા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે "જો કેન્દ્રની સત્તામાં ભાજપની સરકાર આવી તો આવકવેરા અધિકારીઓને બચાવવા માટે સોનિયા ગાંધી અને પી ચિદમ્બરમ નહીં આવે."

આ ધમકી આપતા ગડકરીના શબ્દો હતા કે "હું પણ મર્દ માણસ છું... હવે ભાજપનો પ્રેસિડન્ટ પણ રહ્યો નથી કે મર્યાદાઓમાં બંધાઇ રહું... મને ખબર છે કે નાગપુર અને મુંબઇમાં બેસીને સીબીઆઇના અધિકારીઓ શું કરી રહ્યા છે... મારી અને પાર્ટીની સાથે સહાનુભૂતિ રાખનારા ઓફિસર પણ છે... તેમણે (ઇન્કમટેક્સ અધિકારી) યાદ રાખવું જોઇએ કે અમારી સરકાર આવી તો તેમને સોનિયા અને ચિદમ્બરમ બચાવવા માટે નહીં આવે."

ગડકરીએ કોંગ્રેસ ઉપર પણ આરોપ લગાવ્યો કે સીબીઆઇની જેમ આવકવેરા વિભાગનો પણ કોંગ્રેસ બેરોકટોક ઉપયોગ કરે છે અને ચૂંક સમયમાં તેની નૌકા ડૂબવાની છે.

પોલીસ નીરિક્ષક ટી.કે. વાહિલે ફરિયાદ મળતા જ મીડિયાને જણાવ્યું કે 'પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. વાહિલે જણાવ્યું કે ગૈર-સંજ્ઞેય મામલો છે અને હજી સુધી ગડકરીની સામે કોઇ મામલો નોંધાયો નથી, રીપિટ નથી કરાયો.'

English summary
Arvind kejriwal's aam adami party do police complain against Nitin Gadkari.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X