ગડકરીની માનહાનિ બદલ કેજરીવાલને જેલમાં મોકલાયા
નવી દિલ્હી, 21 મે : આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ન્યાયિક હિરાસતમાં મોકલી આપવામાં આવ્યા છે. તેમને ભાજપના નેતા નીતિન ગડકરી સાથે જોડાયેલા માનહાનિના કેસમાં જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
કેજરીવાલે ગડકરી વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેટલાક આરોપો લગાવ્યા હતા. જેના પગલે નીતિન ગડકરીએ તેમની સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. જે કેસ અંતર્ગત કોર્ટે તેમને 23 મે, 2014 સુધી જેલમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.

અદાલતે આ કેસના સંદર્ભમાં કેજરીવાલને રૂપિયા 10,000ના જામીન બોન્ડ ભરવા જણાવ્યું હતું. જે માટે અરવિંદ કેજરીવાલે સાફ ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ અદાલતે તેમને ન્યાયિક હિરાસતમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.












Click it and Unblock the Notifications
