કેજરીવાલે ચૂંટણી પંચને આપ્યો નોટિસનો જવાબ
નવી દિલ્હી, 23 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલને ચૂંટણીપંચ તરફથી તેમના વિવાદીત નિવેદન બદલ નોટિસ ફટકારવામાં આવી હતી. જેનો તેમણે ચૂંટણીપંચને જવાબ આપી દીધો છે. કેજરીવાલ જણાવ્યું છે કે, તેમણે કોઇ આચારસંહિતાનું ઉલ્લંઘન નથી કર્યું.
અત્રે નોંધનીય છે કે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલના નિવેદન 'ભારતીય જનતા પાર્ટી રાજધાની દિલ્હીમાં કોમવાદી હિંસાને ઉશ્કેરે છે' પર ચૂંટણી પંચે તેમને આચાર સંહિતાના ભંગ બદલ શોકોઝ નોટિસ ફટકારી હતી. જેનો જવાબ તેમણે આજે સુપરત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે દિલ્હી ભાજપના અધ્યક્ષ સતીશ ઉપાધ્યાય અને ઉપાધ્યક્ષ આશીષ સૂદ પર વિજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ સતીશ ઉપાધ્યાયે અરવિંદ કેજરીવાલની ફરિયાદ ચૂંટણીપંચને કરી હતી. ચૂંટણીપંચે આ અંગે અરવિંદ કેજરીવાલને નોટીસ ફટકારી હતી, જેનો જવાબ આ કેજરીવાલે ચૂંટણી પંચને સુપરત કર્યો હતો.












Click it and Unblock the Notifications
