પ્રામાણિક ભાજપ-કોંગી નેતાઓને સામેલ કરશે ‘આપ’: કેજરીવાલ

નવી દિલ્હી, 11 ડિસેમ્બરઃ વ્યવ્સથા પરિવર્તનનું સૂત્ર આપીને દિલ્હી વિધાનસભામાં ઇતિહાસ રચી દેનારા અરવિંદ કેજરીવાલનું કહેવું છે કે, કોંગ્રેસ અને ભાજપના સારા લોકો અમારી પાર્ટીમાં સામેલ થવા ઇચ્છે છે તો, અમે તેમનું સ્વાગત કરીશું. કેજરીવાલને આમ આદમી પાર્ટીમાં બહુમત દળના નેતા તરીકે પસંદ કરવામા આવ્યા છે. તેમણે જણાવ્યું કે, તેઓ દિલ્હીમાં સરકાર બનાવવા માટે તેઓ ના તો કોઇ પક્ષને સમર્થન આપશે અને ના તો કોઇ પક્ષનું સમર્થન લેશે. તેવામાં દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય તેવા અણસાર મળી રહ્યાં છે.

arvind-kejriwal
પ્રશાંત ભૂષણની સલાહને વ્યક્તિગત બતાવી કેજરીવાલે તેને ખારીજ કરી નાખી છે. નોંધનીય છે કે, પ્રશાંત ભૂષણે કહ્યું હતુ કે ‘આપ'ને સરકાર બનાવવા માટે ભાજપનું સમર્થન લેવું જોઇએ, જો કે પ્રશાંત બાદમાં પોતાના નિવદેનથી પલટી ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, મે જે કંઇપણ કહ્યું તેને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું, અમે ના તો કોઇને સમર્થન આપીએ ના તો લઇશુ. ભાજપ અને આપ બન્નેએ વિપક્ષમાં બેસવાની વાતો કરી રહ્યાં છે, ત્યારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. જેમાં બની વખત ચૂંટણી થવાની સંભાવનાઓ છે.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X