Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા, જુઓ વીડિયો
નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ સાથે શરુ થયેલું MeToo અભિયાનને કારણે હાલમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો
નાના પાટેકર અને તનુશ્રી દત્તા વિવાદ સાથે શરુ થયેલું MeToo અભિયાનને કારણે હાલમાં ઘણી ફિલ્મી હસ્તીઓ પર યૌન શોષણનો આરોપ લાગ્યો છે, જેમાં વિકાસ બહેલ, આલોકનાથ, કૈલાશ ખેર અને રજત કપૂર જેવી મોટી હસ્તીઓ શામિલ છે. આ અભિયાન હવે ફિલ્મી ગલીઓથી બહાર નીકળીને રાજનીતિ સુધી પણ પહોંચી ચૂક્યું છે. જેનું તાજું ઉદાહરણ કેન્દ્રીય વિદેશ મંત્રી એમકે અકબર છે, જેમના પર પણ એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે.
આ પણ વાંચો: રાધે માની આ 10 લીલાઓને ભાગ્યે જ તમે જાણતા હશો

Me Too અભિયાન પર રાધે માં કંઈક આવું બોલ્યા
પોતાને માં દુર્ગાનો અવતાર ગણાવનાર રાધે માં ઘ્વારા આ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું છે. મુંબઈમાં આયોજિત કરવામાં આવેલા નવરાત્રીના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે આવેલા રાધા માં ઘ્વારા જણાવવામાં આવ્યું કે મારી મહિલાઓને એક જ સલાહ છે કે જયારે તેમની સાથે કઈ ખોટું થાય તો તે સમયે જ અવાઝ ઉઠાવે.

મહિલાઓ અવાઝ ઉઠાવે
રાધે માં એ #MeToo અભિયાનનું સમર્થન કર્યું અને કહ્યું કે મહિલાઓને ખોટું થતું હોય તો તેની સામે બોલવાનો પૂરો અધિકાર છે અને તેમને બોલવું પણ જોઈએ. આપણે જણાવી દઈએ કે #MeToo અભિયાન હોલિવૂડથી શરુ થયું હતું અને હવે તે ભારતમાં પણ ફેલાઈ રહ્યું છે.

આરોપ
જો કે આ બધાની બાદ પણ તેમની પર યૌન શોષણ અને યૌન હિંસા તથા દહેજ ઉત્પીડન જેવા કેસ દાખલ થયા છે. મુંબઇમાં રહેનારી વકીલ ફાલ્ગુની ભટ્ટાચાર્યએ તેમની વિરુદ્ધ અશ્લીલતા ફેલાવાનો આરોપ લગાવ્યો છે. રાધે માંના નામ પર અરબોની સંપત્તિ છે. જેમાં મુંબઇ, દિલ્હી સમેત વિદેશોમાં પણ તેમના નામે સંપત્તિ છે.

પંજાબની છે રાધે માં
પંજાબના દોરાંગલાની નિવાસી રાધેમાંએ પંજાબથી પોતાનો ચમત્કારો દેખાડવાનું શરૂ કર્યું હતું પણ ત્યારે તે સાદગીમાં જ રહેતી હતી. પણ ગુપ્તા પરિવારમાં આવ્યા બાદ રાધેમાંને એક ગ્લેમર ગર્લ તરીકે રજૂ કરવામાં આવ્યા. તેમના દસે હાથમાં હીરાની વીંટીઓ હોય છે એટલું જ નહીં તેમના મેકઅપ માટે એક આખી ટીમ છે. વળી તેમના દર્શન માટે પણ ખાસ સેટ તૈયાર કરવામાં આવે છે.

હાથમાં ત્રિશુળ
રાધે માના હાથમાં લગભગ એક ફુટ લાંબુ ધાતુનું ત્રિશુળ હોય છે. ભક્તોના કહેવા મુજબ આ ત્રિશુળ થકી જ તે ભગવાનથી જોડાય છે. જ્યારે પણ તે ભક્તોની સામે આવે છે તેમના હાથમાં આ ત્રિશુળ અવશ્ય હોય છે. રાધે મા આમ તો ચૂપ જ રહે છે પણ ભક્તોનું કહેવું છે કે તે બોલે છે. તેમનું પસંદગીનું પ્રવચન છે ભક્તી કરો.
View this post on InstagramA post shared by POP Diaries (@ipopdiaries) on
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
