જેલમાંથી બહાર નિકળતા જ અતીક અહેમદે મર્ડરનો ડર વ્યક્ત કર્યો, કહ્યું- મને પ્લાન ખબર છે

અતીક અહેમદને ઉત્તર પ્રદેશમાં લાવવામાં આવે તે પહેલા તેને હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાહુબલી સાંસદ અતીક અહેમદને ગુજરાતથી યુપી લાવવામાં આવી રહ્યો છે. યુપી પોલીસ ઉમેશ પાલ હત્યા કેસના મુખ્ય આરોપી અતીકને પ્રયાગરાજમાં તાજેતરમાં થયેલી હત્યા કેસમાં કોર્ટમાં રજૂ કરશે. જો કે, અતીક અહેમદે કહુ કે, હમકો ઉનકા પ્રોગ્રામ માલૂમ હૈ... હત્યા કરના ચાહતે હૈ.
અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સપા સાંસદ રામ ગોપાલ યાદવે અતીકના પુત્રની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.
આજે ઉત્તર પ્રદેશ પોલીસની એક ટીમ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી અતીક અહેમદને લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ છે. અતીક અહેમદને રોડ માર્ગે પ્રયાગરાજ લાવવામાં આવી રહ્યો છે. પોલીસ કાફલામાં 6 વાહનો છે. દરમિયાન સમાચાર આવી રહ્યા છે કે આ પોલીસ કાફલાની પાછળ આવતા મીડિયાના વાહનોને અટકાવી દેવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અતીક જૂન 2019થી સાબરમતી જેલમાં બંધ છે.












Click it and Unblock the Notifications
