સંકટમાં બાપુ: આસારામ આગોતરા જામીનની અરજી નકારી કાઢી
નવી દિલ્હી, 30 ઓગષ્ટ: પોલીસની ધરપકડથી બચવા માટે આસારામના બધા પેતરા એક પછી એક નકામા થતા જાય છે. આસારામે પહેલાં તો જોધપુર પોલીસને પત્ર લખીને આપેલા સમયમાં સરેન્ડર કરવામાં અસમર્થતા વ્યક્ત કરી, ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી જેને કોર્ટ નકારી કાઢી.
આ પહેલાં આસારામે આગોતરા જામીન વિશે કહ્યું હતું કે મેં કોઇ ગુનો કર્યો નથી, માટે હું કોઇ અરજી દાખલ કરી નહી પરંતુ જરૂર પડશે તો આમ કરીશ, તો બીજી તરફ આસારામના પુત્ર સાંઇ નારાયણે પોતાના પિતાને નિર્દોષ અને જાતિય સતામણીનો આરોપ લગાવનાર કિશોર બાળકીને માનસિક રીતે અસ્વસ્થ ગણાવી હતી.

ગુજરાત હાઇકોર્ટે આસારામની અરજીને એમ કહીને નકારી કાઢી છે તેમાં દમ નથી સાથે જ તેમને ફટકાર પણ લગાવી છે કે તે કોર્ટનો સમય બરબાદ કરી રહ્યાં છે. ત્યારબાદ આસારામની અરજીને પરત લેવામાં આવી.












Click it and Unblock the Notifications
