લગ્નના 7 વર્ષ બાદ આસારામે પત્ની સાથે શારીરિક સંબધ પર મૂકી દિધું હતું પૂર્ણવિરામ
નવી દિલ્હી, 29 ઓક્ટોબર: પોતાને ભગવાન કહેવડાવનાર આદ્યાત્મિક ગુરૂ આસારામ સવા બે મહિના મહીનાથી જેલના સળિયા પાછળ છે. તેમના પુત્ર નારાયણ સાંઇ પોલીસે નાસતા ફરે છે. આસારામના પ્રવચન અને સત્સંગની દુકાનો પર તાળુ લાગી ગયું છે. તેમની પુત્રી ભારતી અને પત્ની લક્ષ્મી પણ આસારામના આ કુકર્મથી અજાણ નથી. એવામાં પતિની બદનામીના 3 મહિના બાદ પત્ની લક્ષ્મી સામે આવી અને કંઇક એવું બોલી કે જેને સાંભળીને ચોંકી ગયા. જી હાં સાંભળીને ચોંકી જશો કે બીજાની પત્ની અને પુત્રી પર નજર રાખનાર આસારામને તેમની પત્ની પોતે પતિ માનતી નથી.
આના વિશ્વાસ કરવો થોડો અસહજ હશે પરંતુ આ સત્ય છે અને આસારામની કાનૂનન પત્ની લક્ષ્મીએ તેને કબૂલ પણ કર્યું. લક્ષ્મીનું કહેવું છે કે લગ્નના સાત વર્ષ બાદ આસારામે બ્રહ્મચર્ય કબૂલ કરી દિધું. એટલે કે સાત વર્ષ પછી એક દિવસ અચાનક લક્ષ્મી સાથે શારીરિક રીતે અંતર બનાવી લીધું. પછી સમય જતાં જ લક્ષ્મીએ આ નિર્ણયને સ્વિકારી લીધો અને આસારમને પોતાના ગુરૂ માનવા લાગી. લક્ષ્મીએ કહ્યું કે જ્યારે તેમના પતિ પોતે વર્ષોથી દૂર રહે છે તો પછી કોઇ બીજી છોકરી સાથે કેવી રીતે સંબંધ બાંધી શકે અથવા કોઇની સાથે બળાત્કાર કેવી રીતે કરી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે લક્ષ્મી પોતાના પતિ આસારામની ઓફિશિયલ વેબસાઇટમાં પોતાના પતિ અને પુત્રીના હકમાં જે ઇન્ટરવ્યું જાહેર કર્યો છે તેમાં તેમને કેટલીક એવી વાતો કહી છે. આખા ઇન્ટરવ્યુંમાં લક્ષ્મીએ પોતાના પતિ અને પુત્રીનો બચાવ કર્યો છે પરંતુ પુત્ર નારાયણ સાંઇનું નામ સુદ્ધાં લીધું નથી. લક્ષ્મીના આ નિવેદન બાદ સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે જો આસારામ બાપૂ લગ્નના સાત વર્ષ બાદ જ બ્રહ્મચારી બની ચૂક્યાં હતા, તો પછી તે યૌન શક્તિવર્ધક દવાઓનું શું કરતા હતા? અંતે પોતાની ઉર્જા અને તાકાત માટે અને તાકાત માટે આવી જડીબુટ્ટીઓની જરૂરિયાત કેમ પડતી હતી, જે સામાન્ય રીતે કોઇ ગૃહસ્થ અથવા આમોદ-પ્રમાદ પ્રેમી માણસની જરૂરિયાત હોય છે?