આજીવનકેદની સજા સાંભળતા જ આસારામે ખેંચ્યા માથાના વાળ, માથુ પકડીને રોયો
સગીરા પર બળાત્કાર મામલે આસારામ સામે જોધપુર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આસારામને દોષિત ઠેરવીને અદાલતે તેને આજીવનકેદની સજા કરી છે.
સગીરા પર બળાત્કાર મામલે આસારામ સામે જોધપુર કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આસારામને દોષિત ઠેરવીને અદાલતે તેને આજીવનકેદની સજા કરી છે. અદાલતે ચૂકાદો આપતા જ આસારામ રડવા લાગ્યો. અદાલતે જેવી તેને આજીવનકેદની સજા સંભળાવી કે તરત જ તે ઘૂંટણિયે પડી ગયો અને રડવા લાગ્યો અને માથાના વાળ ખેંચવા લાગ્યો. નિર્ણય સાંભળવા દરમિયાન આસારામ ઘણા સમય સુધી મોઢુ નીચુ રાખીને બેસી રહ્યો, તેની આંખોમાં આંસૂ હતા અને તે રડી રહ્યો હતો. આસારામને રડતા જોઈને તેના સમર્થકો પણ રડવા લાગ્યા.

સજા સાંભળીને કોર્ટમાં રડવા લાગ્યો આસારામ
જોધપુર કોર્ટમાં સગીરા પર બળાત્કાર મામલે આસારામને આજીવનકેદની સજા સંભળાવવામાં આવી છે. આસારામ ઉપરાંત દોષી જાહેર કરેલ શિલ્પી અને શરદને 20-20 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આસારામને જીવતો રહે ત્યાં સુધી જેલમાં જ રહેવું પડશે. ચૂકાદો આવતા જ આસારામ ઘૂંટણિયે બેસી ગયો. આ દરમિયાન તેણે પોતાના માથાના વાળ પણ ખેંચ્યા. આ પહેલા કોર્ટ રુમમાં તેણે લગભગ 6 ગ્લાસ પાણી પીધુ. સજા સંભળાવ્યા બાદ તરત જ આસારામને બેરેકમાં લઈ જવામાં આવ્યો.

આજીવનકેદની સજા સાંભળ્યા બાદ તૂટી ગયો આસારામ
કોર્ટમાં ચૂકાદા દરમિયાન જ સમાચાર મળ્યા હતા કે તેની તબિયત લથડવા લાગી હતી. પરિસ્થિતિ જોતા એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. જો કે તેને હોસ્પિટલ લઈ જવાની મનાઈ કરવામાં આવી હતી. હાલમાં સજાના ચૂકાદાથી આસારામ તૂટી ગયો છે. આજીવનકેદની સજાનો અર્થ છે કે તેણે હવે જીવનભર જેલમાં જ રહેવું પડશે. આસારામના વકીલે કહ્યું છે કે તે હાઈકોર્ટમાં અપીલ કરશે.

સગીરા પર બળાત્કાર કેસમાં સજા
તમને જણાવી દઈએ કે આ મામલે પ્રકાશ અને શિવાને નિર્દોષ જાહેર કરીને છોડી મૂકવામાં આવ્યા છે. આસારામે ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાં રહેતી સગીરા પર જોધપુર સ્થિત પોતાના મનઈ આશ્રમમાં વર્ષ 2013 માં બળાત્કાર કર્યો હતો. આ મામલે ચૂકાદો આપવા માટે જોધપુર સેન્ટ્રલ જેલમાં જ વિશેષ કોર્ટ રુમ તૈયાર કરવામાં આવ્યો હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
