રાહુલ ગાંધીને મનાવીશ, નહી માને તો કરીશ નામાંકનઃ અશોક ગેહલોત
કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રીએ મોડી રાત્રે...
નવી દિલ્લીઃ કોંગ્રેસ પ્રમુખની ચૂંટણીને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોડી રાત્રે તેમના ધારાસભ્યો સાથેની બેઠકમાં સ્પષ્ટ કર્યુ કે, હું આવતીકાલે રાહુલ ગાંધીને મનાવવાનો છુ. જો તેઓ અધ્યક્ષ બનવાનો ઇનકાર કરશે તો હું અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઇલ કરીશ. આ સાથે જ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યુ છે કે તેઓ અધ્યક્ષ નહીં બને. આવી સ્થિતિમાં હવે અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોત અને શશિ થરૂર વચ્ચે સ્પર્ધા થશે.
અશોક ગેહલોતે લગભગ 11 વાગે કોંગ્રેસના ધારાસભ્યો સાથે તેમના નિવાસસ્થાને બેઠક યોજી હતી. ગેહલોતે બેઠકમાં કહ્યુ કે, હું છેલ્લી વખત રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ કરીશ. જો રાહુલ ગાંધી સહમત નહીં થાય તો હાઈકમાન્ડ દ્વારા આપવામાં આવેલા નિર્દેશો માટે હું તમને(ધારાસભ્યો)ને તકલીફ આપીશ. ગેહલોતે કહ્યુ કે, તમારે તમામ ધારાસભ્યોએ નોમિનેશન સમયે દિલ્લી આવવુ પડશે.
મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યુ કે તમારે દિલ્લી આવીને ફરી મારુ ફોર્મ ભરાવવુ પડશે. આ બેઠકમાં તમામ ધારાસભ્યોએ સીએમને કહ્યુ કે તમારે અહીં જ રહેવાનુ છે. તો અશોક ગેહલોતે જવાબ આપ્યો કે હું ગમે તે બનીશ, હું રાજસ્થાન નહીં છોડુ. જે બાદ માનવામાં આવી રહ્યુ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની સાથે તેઓ મુખ્યમંત્રી પદ પર પણ ચાલુ રહેશે.
આ સાથે ગેહલોતે ધારાસભ્યોને વિધાનસભા સત્ર વિશે સૂચનાઓ આપી હતી એમ મંત્રીએ જણાવ્યુ હતુ. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા ખાદ્ય પુરવઠા મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે જણાવ્યું હતું કે, 'બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે જો તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરશે તો ધારાસભ્યોને નવી દિલ્લી પહોંચવાનો સંદેશો આવશે. તેમણે કહ્યું કે બેઠકમાં વિધાનસભાના વર્તમાન સત્રની તૈયારીઓ અને બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ખાચરીયાવાસીઓએ કહ્યુ કે, મુખ્યમંત્રી દિલ્લી જશે અને ત્રણ દિવસ પછી પરત આવશે તેથી તેમણે વિધાનસભાને લગતી સંપૂર્ણ સૂચના આપી. કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ગેહલોત ઉમેદવારી નોંધાવશે તેવી અટકળો પર ખાચરીયાવાસીએ કહ્યુ કે, મુખ્યમંત્રી પોતે વરિષ્ઠ નેતા છે, તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવશે, નહીં નોંધાવે, શું થશે, આ બધી વાતો ગેહલોતજી, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેસીને નિર્ણય લેશે.
જો કે કોંગ્રેસમાં 'એક વ્યક્તિ-એક પદ'ના સિદ્ધાંત બાદ હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે જો સીએમ અશોક ગેહલોત અધ્યક્ષ બનશે તો રાજસ્થાનના સીએમ કોણ બનશે? મુખ્યમંત્રી અશોક ગેહલોત બુધવારે દિલ્લીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવાના છે. હાલમાં રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે સચિન પાયલટ અને સીપી જોશીના નામ ચાલી રહ્યા છે.