આસામમાં પૂરનો પ્રકોપ યથાવત, છેલ્લા 24 કલાકમાં વધુ 8ના મોત, આંકડો પહોંચ્યો 66
Assam Floods: આસામમાં છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી ત્રણ બાળકો સહિત 8 લોકોના મોત થયા બાદ સ્થિતિ વણસી ગઈ છે. જે બાદ આ વર્ષના પૂરમાં મૃત્યુઆંક વધીને 66 થઈ ગયો છે.
"રવિવારે ધુબરી અને નલબારી જિલ્લામાં બે-બે લોકો અને કચર, ગોલપારા, ધેમાજી, શિવસાગર જિલ્લામાં એક-એક વ્યક્તિના મોત થયા છે તેમ એએસડીએમએ પૂર અહેવાલમાં જણાવાયું છે.

રવિવારે રાજ્યમાં પૂરની સ્થિતિ કેટલાક જિલ્લાઓમાં હજુ પણ ગંભીર છે. 28 જિલ્લાના 22.74 લાખથી વધુ લોકો હજુ પણ પૂરથી પ્રભાવિત છે. પૂર પ્રભાવિત જિલ્લાઓમાં કામરૂપ, નાગાંવ, કચર, ધુબરી, ગોલપારા, મોરીગાંવ, હૈલાકાંડી, બોંગાઈગાંવ, દક્ષિણ સલમારા, ડિબ્રુગઢ, કરીમગંજ, લખીમપુર, હોજાઈ, નલબારી, ચરાઈડિયો, વિશ્વનાથ, ગોલાઘાટ, જોરહાટ, ધેમાજી, બરપેટા, મજ્જાપુર, કોરપેટા, સોલમારા, કામરૂપ (M), દરરંગ, શિવસાગર, ચિરાંગ, તિનસુકિયાનો સમાવેશ થાય છે.
97 રેવન્યુ સર્કલ હેઠળના 3446 ગામો હજુ પણ ડૂબી ગયા છે અને 68432.75 હેક્ટર પાક વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો છે. એકલા ધુબરી જિલ્લામાં 754791 લોકો પ્રભાવિત થયા છે, ત્યારબાદ કચર જિલ્લામાં 177928 લોકો, બારપેટામાં 134328 લોકો, દારંગમાં 117581 લોકો, ગોલાઘાટમાં 112322 લોકો, દક્ષિણ સલમારા જિલ્લામાં 100926 લોકો પ્રભાવિત થયા છે.
3.69 લાખથી વધુ લોકોએ 630 રાહત શિબિરોમાં આશ્રય લીધો છે અને વહીવટીતંત્ર દ્વારા 26 જિલ્લામાં વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. પૂરના બીજા મોજામાં 1563426 પાલતુ પ્રાણીઓ પણ પ્રભાવિત થયા છે. રવિવારના પૂરના પાણીમાં 214 પશુઓ ધોવાઈ ગયા હતા અને લગભગ 300 ઘરોને નુકસાન થયું હતું. એનડીઆરએફ, એસડીઆરએફ, અગ્નિશમન અને કટોકટી સેવાઓ અને સ્થાનિક વહીવટીતંત્રની બચાવ ટુકડીઓ અનેક પૂર પ્રભાવિત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં વ્યસ્ત છે.
છેલ્લા 24 કલાકમાં પૂરના પાણીથી 172 રસ્તાઓ, 6 પુલ, 8 પાળાને નુકસાન થયું છે. બ્રહ્મપુત્રા, બરાક અને તેની ઉપનદીઓ સહિત નવ નદીઓ રાજ્યમાં ઘણી જગ્યાએ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. નીમતીઘાટ, તેજપુર અને ધુબરીમાં બ્રહ્મપુત્રા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
