Assam NCR: બંગાળી હિન્દુઓના નામ પણ રજિસ્ટરમાંથી ગાયબ, સરકારની મુશ્કેલી વધી
Assam NCR: બંગાળી હિન્દુઓના નામ પણ રજિસ્ટરમાંથી ગાયબ, સરકારની મુશ્કેલી વધી
નવી દિલ્હીઃ આસામના મૂળ રહેવાસીઓ ઓળખ કરતા રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટે જાહેર કરવામાં આવનાર છે. જેનાથી આસામના વાસ્તવિક નાગરિકોની ઓળખ થશે. જેના પર આસામમાં કેટલાય લોકો કહી રહ્યા છે કે તેઓ એનઆરસીને લઈ મૂંઝવણમાં છે. આસામમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી પણ મસીક્ષાની આ પ્રક્રિયાથી સંતુષ્ટ નથી જણાઈ રહી.

ઉમાકાંત ભૌમિક એવા 41 લાખ લોકોમાં સામેલ છે, જેમનું નામ એનઆરસી ડ્રાફ્ટમાં સામેલ નહોતું. 52 વર્ષના ભૌમિક ગુવાહાટીમાં હે છે. તેઓ બંગાળી હિન્દુ છે અને ભાજપના સમર્થક પણ છે. તેઓ જણાવે છે કે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીના સમયે તેઓ ભાજપના સમર્થક રહ્યા છે હવે ઉમાકાંત ચિંતિત છે તો સાથે જ બાજપથી નારાજ પણ છે કેમ કે તેમનો દાવો છે કે મોટી સંખ્યામાં હિન્દુ આ લિસ્ટમાં નથી.
ઉમાકાંત કહે છે કે તેઓ એકવાર નહિ બલકે સાત વખત પોતાના પરિવાર સાથે રી-વેરિફિકેશન માટે ગયા છે, તેઓ કહે છે કે હવે કોઈ ખાસ ઉમ્મીદ નથી. ઉમાકાંત ભૌમિકે કહ્યું કે 'હું ભાજપનો સમર્થક છું, અમે બંગાળીઓએ જ આસામમાં સૌથી પહેલા ભાજપનું સમર્થન કર્યું હતું. ભાજપીઓને અહીં પગ જમાવવામાં અમે મદદ કરી અને હવે સરકાર અમારી મદદ નથી કરી રહી, અમને આવી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.'
સૂત્રો મુજબ મોટી સંખ્યામાં હિન્દુઓ આ રજિસ્ટરમાં સામેલ ન થઈ શકતાં ભાજપ માટે ચિંતાનો વિષય બની ગયો છે. એવું અનુમાન છે કે આસામના 18 ટકા બંગાળી હિન્દુઓનું ભાજપને સમર્થન હાંસલ છે. ભાજપે 2019ની લોકસબા ચૂંટણીમાં 14માંથી 9 સીટ પર જીત હાંસલ કરી હતી. જ્યારે 'સારા આસામ બંગાળી એક્યા મંચ'ના મહાસચિવ શાંતનુ મુખરજી કહે છે કે ડ્રાફ્ટમાં અમને જે મળ્યું, તે એ છે કે બંગાળી હિન્દુ સૌથી વધુ પ્રભાવિત થયા છે અને તેમાં મુખ્ય રૂપે સરકાર તરફથી ખામીઓ છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
