કોની સરકાર, કોને ફાયદો, કોને નુકસાન
મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં જ એટલો વિવાદ થઇ ગયો છે તો ચૂંટણીના પરિણામો બાદ શું સ્થિતી હશે તેનો અંદાજો અત્યારથી જ લગાવવો મુશ્કેલ છે પરંતુ ગત નિવેદનો અને રાજકીય દ્રષ્ટિએ આ વિશ્લેષણ કરી શકાય છે ક મહારાષ્ટ્રમાં કોની સરકાર અથવા કઇ પાર્ટીનો મુખ્યમંત્રી બનતાં શું ફાયદો અને શું નુકસાન થઇ શકે છે.
ચાલો માની લો કે જો શિવસેનાનો મુખ્યમંત્રી બન્યો તો, ભાજપના મુખ્યમંત્રી બન્યા તો શું થશે, કોંગ્રેસ અથવા એનસીપી પાર્ટીમાંથી મુખ્યમંત્રી બન્યો તો શું થશે. સીધો પ્રશ્ન એ ઉદભવે રહ્યો છે કે કોની સરકાર, કોને ફાયદો, કોને નુકસાન? તેનો જવાબ શોધતાં વાંચો:

શું ફાયદો શું નુકસાન
મરાઠા સમુદાય માટે હંમેશાથી જ શિવસેનાનો સ્વભાવ નરમ રહ્યો છે. શિવસેનાના બાલ ઠાકરેથી માંડીને સુધી મરાઠી ભાષી લોકોના વિકાસ વિશે સૌથી વધુ બોલ્યા અને કહેવામાં આવી રહ્યું છે.
કોને નુકસાન- તેનાથી મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતથી રોજગારની શોધમાં આવનાર બેરોજગાર યુવક તથા લોકોને નુકસાન વેઠવું પડી શકે છે. શિવસેનાના ગત નિવેદનોના આધાર પર કહેવામાં આવી શકે છે કે બિન મરાઠી ભાષી લોકો સાથે ભેદભાવ વધી શકે છે.

કોને નુકસાન- કોને ફાયદો
ભાજપની સરકાર થઇ તો મુખ્યમંત્રી પણ ભાજપના બન્યા તો ગત નિવેદનો અને ભાજપના આરએસએસ અને હિંદુત્વ આધારે કહી શકાય કે મહારાષ્ટ્રમાં અલ્પસંખ્યક સમુદાયના વિરૂદ્ધ ભેદભાવ વધી જાય. તો બીજી તરફ ધર્મને આધાર બનાવીને હિંસા કરનાર હિંદુત્વ તાકાતો વધી મજબૂત થઇ શકે છે.

કોને ફાયદો કોને નુકસાન
મહારાષ્ટ્રમાં એનસીપી-કોંગ્રેસની પંદર વર્ષોથી ગઠબંધનની સરકાર છે. આ દરમિયાન ગોટાળા થયા છે. ખુલીને તપાસ થઇ નહી. આદર્શ હાઉસિંગ સોસાયટીનો ગોટાળો કોંગ્રેસ સરકારમાં મહારાષ્ટ્રમાં થયો છે. તો આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની યાદી પર નજર કરીએ તો પરિવારવાદને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. યૂપીએ સરકારમાં મંત્રી રહી ચૂકેલા સુશીલ કુમાર શિંદેની પુત્રીને ટિકીટ, વિલાસરાવ દેશમુખના પુત્રને ટિકીટ આપવામાં આવી છે.
લોકસભા ચૂંટણીમાં નાણામંત્રી પી. ચિંદબરમને પણ ટિકીટ આપવામાં આવી હતી. જો કે ભાજપની ઘણી હદે પરિવાદની તરફ પગલાં વધારે છે પરંતુ ભાજપનું આ પગલું કોંગ્રેસ કરતાં થોડું ઓછું આંકવામાં આવી શકે છે.

એનસીપીની સરકાર તો શું થશે નુકસાન
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની સરકાર બની તો મુખ્યમંત્રી પણ એનસીપીના થયા તો યુવા વર્ગને ઝટકો લાગી શકે છે. એનસીપી દ્વારા યુવા વર્ગને અત્યાર સુધી કોઇ ખાસ પહેલાં કરતાં જોવા મળ્યા નથી. ફાયદો તો ફક્ત અહીં રાજકીય હિતમાં થઇ શકે છે કારણ કે એનસીપીને અત્યારે રાજકીય મેદાનમાં રાષ્ટ્રીય સ્તર પર સિદ્ધ કરવાની જરૂરિયાત છે.












Click it and Unblock the Notifications
