For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોર્ટ બ્લેયરમાં નૌકા પલ્ટી, 21ના મોત

|
Google Oneindia Gujarati News

port-blair
પોર્ટ બ્લેયર, 27 જાન્યુઆરીઃ આંદમાન નિકોબાર દ્વીપ સમૂહના પોર્ટ બ્લેયરમાં રવિવારે દરિયામાં એક નાવડી ઉંઘી વળતાં 21 લોકોના મોત નીપજ્યાં છે. અધિકારીઓ અનુસાર અહીં ફરવા આવેલા પ્રવાસીની નૌકા બંગાળની ખાડીમાં સ્થિત પોર્ટ બ્લેયરની પાસે ઉંઘી વળી હતી.

નૌકામાં 45 લોકો સવાર હતા. તમિળનાડુના કાંચીપુરમ જિલ્લો અને મુંબઇથી આવેલા પ્રવાસીઓ ઉપરાંત ક્રૂ સભ્ય પણ રોસ આઇસલેન્ડથી નોર્ત બે તરફ જઇ રહ્યાં હતા, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. દક્ષિણ આંદમાન જિલ્લા પ્રશાસને 21 લોકોના મોતની પૃષ્ટિ કરી છે. પ્રશાસન અનુસાર 13 લોકોને બચાવી લેવાયા છે.

સૂત્રો અનુસાર સ્થાનિક પ્રશાસન અને કોસ્ટ ગાર્ડના જવાનો લાપતા પ્રવાસીઓને શોધી રહ્યા છે. આશંકા છે કે કેટલાક લોકો એક્વા મરીન નામની એ નૌકાના કેબિનમા ફસાઇ ગયા હશે. વડાપ્રધાન મનમોહન સિંહે નૌકા દુર્ઘટના પર આશ્ચર્ય વ્યક્ત કરતા મૃતકોની આત્માની શાંતિ માટે કામના કરી છે.

English summary
A boat with 46 passengers on board capsized in the Bay of Bengal near Port Blair on Sunday afternoon, killing at least 21 people. Officials say while 26 passengers along with two crew members have been rescued, one person is still missing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X