Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રદ્ધાંજલિ આપ્યા બાદ વાજપેયીની તસવીરને જમીન પર જ છોડીને જતા રહ્યા નેતા

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાજપે હરદોઈમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નેતાઓ રસખાન ઑડિટોરિયમના ગેટની બાજુમાં જ અટલજીની તસવીર છોડીને જતા રહ્યા.

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની શ્રદ્ધાંજલિ સભાનું હરદોઈમાં આયોજન થયું હતું. કાર્યક્રમ ખતમ થયા બાદ અટલજીની તસવીરને જમીન પર જ છોડીને નેતાઓ ચાલ્યા ગયા હતા. જેની તસવીરો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જણાવી દઈએ કે 16 ઓગસ્ટે બીમારીને પગલે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીનું અવસાન થયું હતું. આ પણ વાંચો- સાબરમતિમાં કરાયું અટલજીના અસ્થિનું વિસર્જન

atal ji

અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભાજપે હરદોઈમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. શ્રદ્ધાંજલિ આપ્યા બાદ નેતાઓ રસખાન ઑડિટોરિયમના ગેટની બાજુમાં જ અટલજીની તસવીર છોડીને જતા રહ્યા હતા. કાર્યક્રમ બાદ એમની તસવીરને પૂછવાવાળું કોઈ જ નહોતું રહ્યું, બધા જ ત્યાંથી જતા રહ્યા હતા. આ પણ વાંચો- ફોટાઃ રાજનીતિના અજાત શત્રુ અટલ બિહારી વાજપેયી અંતિમ સફર પર

રસખાન હોલમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રશાસનના અધિકારીઓ અને જિલ્લાના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જ્યાં કાર્યક્રમ દરમિયાન પૂર્વ પીએમ અટલજીની તસવીરની શાન હતી, ત્યાં જ કાર્યક્રમ બાદ તસવીરને આમ જ જમીન પર છોડી દેવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચામાં છે અને લોકો આ બાબતે વાતો કરી રહ્યા છે. આ તસવીર સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે, જે કારણે ભાજપના નેતાઓને ફજેતી થઈ રહી છે. આ પણ વાંચો- અટલ બિહારી વાજપેયીનું શરીર તિરંગામાં લપેટાયુ, શું છે રાજકીય સન્માન?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X