અબુ સાલેમ પર હુમલો : ચાર પોલીસકર્મી સસ્પેન્ડ

આ અંગે અધિક પોલીસ મહાનિર્દેશક (જેલ) મીરા બોનવરકરે જણાવ્યું કે અબુ સાલેમ પર બે ગોળીઓ ચલાવવામાં આવી હતી. જેલમાં હુમલો થાય તેવી બેદરકારી રાખવા બદલ ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ પૂરી થયા બાદ જ જણાવી શકાશે કે ઘટના પાછળ કોનો હાથ છે. જો કે શંકા પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનો હાથ હોવાની પણ છે. સલેમ અગાઉ દાઉદ માટે કામ કરતો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે 27 જૂન, 2013ના રોજ રાત્રે 8.30 કલાકે અબુ સાલેમ પર જેલના જ એક અન્ય કેદી દેવેન્દ્ર બાબુરાવ જગતાપ દ્વારા ગોળી ચલાવવામાં આવી હતી. આ ગોળી સાલેમના હાથમાં વાગી હતી. અબુ સાલેમને વશીમાં આવેલી નવી મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જગતાપ એડવોકેટ સઇદ આઝમી હત્યા કેસમાં દોષિત છે. કહેવાય છે તે તેને હથિયાર ટિફિન બોક્સમાં પહોંચાડવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ અબુ સાલેમ પર જેલમાં હુમલો થયો હતો. તે સમયે તેઓ મુંબઇની આર્થર રોડ જેલમાં બંધ હતા. આ હુમલા બાદ જ તેમને તલોજા જેલમાં ખસેડવામાં આવ્યા હતા. વર્ષ 2005માં તેમને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કથિત ભૂમિકા બદલ પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.
અબુ સાલેમ પરના આરોપમાં કહેવામાં આવ્યું હતું કે અબુ સાલેમે દાઉદ ઇબ્રાહિમે રચેલા એક કાવતરા અંતર્ગત બોમ્બ વિસ્ફોટોમાં પોતાના સહયોગીઓને હથિયાર અને વિસ્ફોટકોને જથ્થો પૂરો પાડ્યો હતો.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
