પદયાત્રા દરમિયાન અરવિંદ કેજરીવાલ પર હુમલો, આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો
દિલ્હીના પુર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ પર પદયાત્રા દરમિયાન હુમલો થયો હોવાના અહેવાલ છે.
હુમલાને લઈને દિલ્હીના સીએમ આતિશીએ મીડિયા સાથે વાત કરી અને કહ્યું કે, ભાજપ જાણે છે કે તે ચૂંટણીમાં કેજરીવાલને હરાવી શકતા નથી, તેથી તે મારવા માંગે છે. પહેલા બીજેપીએ અરવિંદ કેજરીવાલની દવા બંધ કરી દીધી, જેથી મોત થઈ જાય.

સીએમ આતિશીએ કહ્યું કે, દિલ્હીના લોકો કેજરીવાલજીને પ્રેમ કરે છે. દિલ્હીના લોકોને તેમના કામ અટકાવીને હેરાન કરવામાં આવી રહ્યા છે.
જો કેજરીવાલજીને કંઈ થશે તો દિલ્હીના લોકો બીજેપીને નહીં છોડે. તેઓ દિલ્હી માટે લડશે. તે માત્ર દિલ્હીના નેતા જ નહીં પરંતુ દિલ્હીના પુત્ર છે. જ્યારે પણ હુમલો થાય છે ત્યારે તેમની પાછળ ભાજપના લોકો હોય છે.
આતિશીએ કહ્યું કે, દિલ્હીની જનતાને ભાજપની ગંદી રાજનીતિનો પુરાવો મળી ગયો છે. આજે પદયાત્રા દરમિયાન તેમના પર હુમલો કરીને જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જ્યારે તપાસ થશે ત્યારે ખબર પડશે કે હુમલાખોર ભાજપનો હતો. હું તેમને તપાસ કરાવવા પડકાર ફેંકું છું.
આતિશીએ કહ્યું કે, ભાજપના કેટલાક કાર્યકરો તેમને હાર પહેરાવવાના નામે આગળ આવ્યા અને પછી તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. જો તેની પાસે શસ્ત્રો હોત તો તે મારી પણ પણ શક્યા હોત.
જણાવી દઈએ કે, દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપી માટે આમ આદમી પાર્ટી મોટો પડકાર છે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં તેની નીતિઓને કારણે 10 વર્ષની સફળ શાશન કરી રહી છે. આ પણ એક કારણ છે કે બીજેપી પર સતત અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ કાવતરા રચવાના આરોપ લાગતા રહે છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
