For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Atulya Ganga: પૂર્વ આર્મી અધિકારીઓની પહેલ, 15 ડિસેમ્બરે શરૂ થશે ગંગાની પરિક્રમા

Atulya Ganga: પૂર્વ આર્મી અધિકારીઓની પહેલ, 15 ડિસેમ્બરે શરૂ થશે ગંગાની પરિક્રમા

|
Google Oneindia Gujarati News

જીવતે જીવિત ગંગા આપણી તરસ છૂપાવે છે અને મૃત્યુ બાદ આપણી રાખને ગંગા પોતાનામાં સમાવી લે છે. પરંતુ આજે આપણે આપણી બેદરકારીને કારણે પવિત્ર ગંગા નદીને પ્રદુષિત બનાવી નાખી છે. હવે સેનામાં રહી જેમણે દેશ માટે જીવ જોખમમાં મૂક્યો તેવા ભારતીય સેનાના દિગ્ગજોની ટીમે ક્લિન ગંગા મિશન માટે આગળ આવ્યા છે.

Ganga

ગંગાના ખોવાયેલ ગૌરવને પુનર્સ્થાપિત કરવું આપણું કર્તવ્ય છે, પરંતુ સેનાના પૂર્વ સૈનિકોએ પોતાના મિશનમાં કોઈ કસર ના છોડવાનો નિર્ણય લધો છે. ગંગા કાંઠે દરેક બારમો વ્યક્તિ વસે છે છતાં ગંગાના પ્રદૂષણ સામે સૌએ આંખ આડા કાન કરી રાખ્યા છે. અતુલ્ય ગંગા પહેલ 15 ડિસેમ્બરે એક અતુલ્ય ઈતિહાસ સર્જશે.

લેફ્ટનન્ટ કર્નલ હેમ લોહુમ, ગોપાલ શર્મા અને કર્નલ મનોજ કેશ્વરે અતુલ્ય ગંગા પહેલની સ્થાપના કરી. જે ત્રણ મજબૂત સ્તંભો (પરિક્રમા, પ્રદૂષણ અને લોકો) પર આધાર રાખે છે. આ દિગ્ગજો માને છે કે જો નિષ્ઠાથી કાર્ય કરવામાં આવે તો આ ત્રણ સ્તંભ નદીના ચહેરાને પરિવર્તિત કરી શકે છે.

આ પ્રોજેક્ટ પ્રકૃતિ, સાહસ, સંસ્કૃતિ, પૌરાણિક કથા અને ઇતિહાસનો અનોખો સંયોગ છે. કર્નલ મનોજ કેહવારે કહ્યું કે, "દેશની કરોડરજ્જૂ સમાન યુવાઓને જાગૃત કરવાનો વિચાર છે. પાછલા 1600 વર્ષોમાં કોઈએ પરિક્રમા કરી નથી. આ નદીની લંબાઈની આ યાત્રા દરમ્યાન નિયમોનું પાલન કરવું જરૂરી છે. આ એક વૈદિક સમયની પરંપરા છે."

વિશ્વભરમાં આવી 20 જેટલી પરિક્રમા થાય છે, પરંતુ હજી સુધી ભારતમાં આટલી વિશાળ પરિક્રમા નથી થઈ. આ યાત્રા ભારતને તેની પહેલી લાંબી પરિક્રમા આપશે જે સાહસિક પ્રેમીઓ માટેનું એક મુખ્ય આકર્ષણ સાબિત થશે.

ganga

બીજો આધારસ્તંભ, પ્રદૂષણ છે, ઔદ્યોગિક અને ગટરના કચરાને ગંગામાં ઠાલવવામાં આવે તે કઠોર વાસ્તવિકતા છે, જેની વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે.

સમગ્ર રિવર સિસ્ટમનું બેદરકારીથી શોષણ થાય છે. કર્નલ મનોજ કહે છે કે, "ભારત સરકારે મહત્વના પ્રોજેક્ટ ગંગા કાયાકલ્પને લાવી સ્થિતિની પ્રતિક્રિયા આપી છે. વાસ્તવમાં માત્ર સરકાર જ નવીને ચોખ્ખી કરી શકે છે. આપણે માત્ર જાગૃતતા ફેલાવી શકીએ અને આપણી ચાવી રૂપ નદીઓ પ્રત્યે યુવાનોને પ્રેરણા આપી શકીએ. એકવાર આપણે પ્રદૂષણનો નકશો બનાવીએ અને તેને હાઇલાઇટ કરીશું, પછી જવાબદારી એ આગળનું પગલું છે."

અતુલ્ય ગંગા લોકોની પહેલ છે જે 15 ડિસેમ્બરે શરૂ થશે અને 10 ઓગસ્ટ 2021 સુધી ચાલશે. બે પાંચ વર્ષીય યોજના સાથે આ 11 વર્ષનો 2020થી 2030નો પ્રોજેક્ટ છે. જેમ બને તેમ વધુ લોકોને જોડવાની યોજના હતી પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે 6 લોકો કાયમી પરિક્રમા કરશે, જ્યારે ટ્રેકમાં જોડાતા લોકો માટે 150 રિલે અને 20,000 મિની વૉક દોરાશે.

પરિક્રમા દરમ્યાન દરેક પાંચ કિ.મી. પર ગંગાના જળ, ભૂગર્ભ જળ અને જમીનના નમૂના લેવામાં આવશે. આ ઉપરાંત લીંબડો, પીપળો અને વડનું વૃક્ષારોપણ કરવાની પણ પહેલ કરવામાં આવશે.

English summary
Atulya Ganga: 5000 KM long parikrama of the ganga to start on 15th december
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X