Aurangabad Train Accident: રેલવે મંત્રી પીયૂષ ગોયલે તપાસનો આદેશ આપ્યો
Aurangabad Train Accident: રેલવે મંત્રી પીયૂષ ગોયલે તપાસનો આદેશ આપ્યો
નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના ઔરંગામાં આજે એક દર્દનાક ઘટના સામે આવી છે, અહીં રેલના પાટા પર 16 પ્રવાસી મજૂરો ટ્રેનના અડફેટે આવી જતા મૃત્યુ પામ્યા છે. ઔરંગાબાદના જાલના રેલવે લાઈન પાસે આ દુર્ઘટના થઈ, જેમાં 16 મજૂરોના મોત થયા છે જ્યારે 5 અન્ય મજૂર ઘાયલ થયા છે. આ ઘટના ઔરંગાબાદ-જાલના રેલવે લાઈન પર શુક્રવારે વહેલી સવારે 5.15 વાગ્યે બની, ઘટનામાં ઘાયલ લોકોને ઔરંગાબાદના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, મૃતકોમાં મજૂરના બાળકો પણ સામેલ છે.

રાહત કાર્ય ચાલુ
ઔરંગાબાદ ટ્રેન દુર્ઘટના પર રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે- રાહત કાર્ય ચાલુ છે અને તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું કે આજે 5.22 વાગ્યે નાંદેડ ડિવીઝનના બદનાપુર અને કરમાડ સ્ટેશશન વચ્ચે ઉંઘેલા શ્રમિકોના માલગાડી નીચે આવી ગયાના દુખદ સમાચાર મળ્યા, રાહત કાર્ય ચાલુ છે, ઈન્કવાયરીના આદેશ આપ્યા છે, દિવંગત આત્માઓની આત્માને શાંતિ હેતુ ઈશ્વરને પ્રાર્થના કરું છું.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
આ ગોજારા અકસ્માત પર પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો છે, પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું કે ઔરંગાબાદમાં થયેલ રેલવે દુર્ઘટનામાં જીવ ગયાના સમાચાર જાણી ઘણું દુખ પહોંચ્યું છે. આ મામલે પીએમ મોદીએ રેલવે મંત્રી પીયૂષ ગોયલ સાથે વાતચીત કરી છે અને હાલાતનો રિપોર્ટ મેળવવા કહ્યું છે.
|
બધા મજૂર સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા
આ બધા મજૂર એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ઔરંગાબાદથી ગામ જતી ટ્રેન પકડવા માટે જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યા હતા, મોડી રાત થઈ ગઈ હોવાના પગલે બદાએ સટાના શિવાર વિસ્તારમાં ટ્રેનના પાટા પર જ પોતાની પથારી લગાવી દીધી. સવારે આ પાટાથી એક માલ ગાડી પસાર થઈ અને 16 મજૂરોને પોતાના લપેટામાં લઈ લીધા. જણાવી દઈએ કે લૉકડાઉનને કારણે દેશભરમાં મજૂરો ફસાયા છે, જો કે કેન્દ્ર સરકાર તરફતી મજૂરોને તેમના રાજ્ય પાછા મોકલવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જે બાદ રાજ્ય સરકારોએ બસની વ્યવસ્થા કરી પોતાના મજૂરોને બોલાવ્યા છે, આ ઉપરાંત રેલવે તરફતી સ્પેશિયલ શ્રમિક ટ્રેન પણ ચલાવવામાં આવી છે, જે મજૂરોને તેમના રાજ્ય સુધી હપોંચાડી રહી છે.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
