Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કમલેશ તિવારીને 15 વખત ચાકુ ભોંક્યું, ઑટોપ્સીમાં થયો ખુલાસો

કમલેશ તિવારીને 15 વખત ચાકુ ભોંક્યું, ઑટોપ્સીમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી મર્ડર કેસમાં ગુજરાત એટીએસે મંગળવારે રાત્રે 2 મુખ્ય આરોપી અશફાક હુસૈન અને મોઈનુદ્દીન પઠાનની ધરપકડ કરી લીધી. જણાવવામાં આવી રહ્યું છે કે બંને આરોપી અહીંતી પાકિસ્તાન ભાગવાની તૈયારીમાં હતા. કમલેશ તિવારીની હત્યા બાદથી યૂપી અને ગુજરાતની પોલીસ આ બંને આરોપીઓની તલાશમાં લાગી ગઈ હતી. બંને આરોપી પોલીસને કન્ફ્યૂઝ કરવા માટે સતત પોતાનું લોકેશન બદલી રહ્યા હતા, પરંતુ આખરે પોલીસના શકંજામાં ફસાઈ ગયા. આ દરમિયાન કમલેશ તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં હત્યાકાંડમાં કેટલાક મોટા ખુલાસા થયા છે.

એક જ જગ્યાએ ચાકુના 7 ઘાવ મળ્યા

એક જ જગ્યાએ ચાકુના 7 ઘાવ મળ્યા

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ મુજબ કમલેશ તિવારીના ઑટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો કે તેના પર 15 વખત ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ તેને ગોળી મારવામાં આવી હતી. કમલેશ તિવારીની ઑટોપ્સી કરનાર લખનઉની કિંમગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટીના ડૉક્ટર્સે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્યું કે તેની છાતી પર કેટલીયવાર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચાકુથી થયેલ હુમલાના કારણે કમલેશ તિવારીની છાતીમાં 3-4 સેમી ઊંડો ઘાવ બની ગયો છે. આ ઉપરાંત તેના શરીર પર અન્ય બે જગ્યાએ પણ ચાકુના ઘાવ મળ્યા છે, જેમાં એક ઘાવ તેની ડોક પર મળ્યો છે.

કોઈએ ગોળીનો અવાજ કેમ ન સાંભળ્યો

કોઈએ ગોળીનો અવાજ કેમ ન સાંભળ્યો

ઑટોપ્સી રિપોર્ટ મુજબ કમલેશ તિવારી ઉપર ચાકુથી હુમલો કર્યા બાદ ગોળી પણ ચલાવવામાં આવી હતી. કમલેશના ચહેરા પર ગોળી લાગવાનું એક નિશાન મળ્યું છે. જો કે પોલીસ એક વાતને લઈને કન્ફ્યૂઝ છે કે આખરે કમલેશની પત્ની અને તેના ગનરે ગોળી ચાલવાનો અવાજ કેમ ન સાંભળ્યો, કેમ કે ઘટના સમયે આ બંને ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતા. પોલીસનું કહેવું છે કે બંધુક મિઠાઈના ડબ્બામાં છૂપાવીને લાવવામાં આવી હતી કે બીજે ક્યાંય છૂપાવીને લાવવામાં આવી હતી તે વાત પણ સ્પષ્ટ નથી થઈ.

આરોપીઓને હથિયાર ક્યાંથી મળ્યાં

આરોપીઓને હથિયાર ક્યાંથી મળ્યાં

પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેસમાં આ મહત્વપૂર્ણ ભાગની અલગથી તપાસ કરવામાં આવી રહી છે કે પઠાન અને અશફાક હથિયાર લઈને કમલેશ તિવારીના ઘરે આવ્યા હતા કે તેમને ત્યાંથીં જ હથિયાર મળ્યાં હતાં.. જણાવી દઈએ કે ગત 18મી ઓક્ટોબરે કમલેશ તિવારીની હત્યા થઈ હતી. કથિત રીતે હથ્યારા મિઠાઈ આપવાના બહાને કમલેશ તિવારીના ઘરે આવ્યા અને તેની હત્યા કરી દીધી. જે બાદ પોલીસે સુરત અને નાગપુરથી મળેલ ઈનપુટના આધારે બંને મુખ્ય આરોપી અશફાક હુસન અને મોઈનુદ્દીન પઠાનને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પાસેથી પકડી લીધા. બંને આરોપીઓને હાલ લખનઉ લઈ જવામાં આવી રહ્યા છે.

એક ફોન કૉલથી આરોપીઓનું સબૂત મળ્યું

એક ફોન કૉલથી આરોપીઓનું સબૂત મળ્યું

ઉલ્લેખનીય છે કે કમલેશ તિવારીની હત્યા બાદથી જ યૂપી અને ગુજરાત પોલીસ આ બંને આરોપીઓની તલાશમાં લાગી હતી. કમલેશ તિવારીની હત્યાનું ગુજરાત કનેક્શન સામે આવ્યા બાદ યૂપી પોલીસે અહીંની પોલીસનો સંપર્ક સાધ્યો હતો. બંને આરોપીઓની ધરપકડ માટે એસઆઈટીએ હોટલ, લોજ, મદરેસા અને કેટલાય સ્થળો પર દરોડા પાડ્યા પરંતુ આરોપીઓ બચી નિકળવામાં સફળ રહ્યા. આ દરમિયાન પોલીસે તેમના પર અઢી લાખનું ઈનામ ઘોષિત કરી દીધું અને તેમના પોસ્ટર પણ જાહેર કર્યાં. મંગળવારે એક હત્યારોપીએ સુરત સ્થિત પોતાના ઘરે કૉલ કર્યો અને રૂપિયાનો ઈંતેજામ કરવા કહ્યું. આ કૉલ જ એટીએસના કામે આવી ગઈ અને બંને આરોપીઓને એટીએસે રાજસ્તાન બોર્ડર પર જ દબોચી લીધા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X