કેદારનાથ મંદિર પાસે પહાડોમાં હિમસ્ખલન, વીડિયો થયો વાયરલ
આજે સવારે કેદારનાથ મંદિરની આસપાસના પહાડો પર હિમપ્રપાત થયો હતો. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી કોઈ નુકસાનના સમાચાર નથી.

ગુરુવારે કેદારનાથ ધામમાં ચોરાબારી તળાવ તરફ હિમસ્ખલન થયુ હતુ. આ ઘટના સવારે લગભગ 7.15 વાગ્યાની જણાવવામાં આવી રહી છે. ઘણા લોકોએ આ ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. હિમસ્ખલનમાંથી બરફ સતત વધી રહ્યો હતો.
જેને જોઈને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના કેદારનાથથી ચાર કિમી દૂર હોવાનું કહેવાય છે. હિમસ્ખલનથી કોઈ નુકસાન થયું નથી. નિષ્ણાતોના મતે હિમાલયના પ્રદેશોમાં આવી ઘટનાઓ સામાન્ય છે.
#WATCH | An avalanche hit the mountains surrounding the Kedarnath temple in Uttarakhand, earlier today. As per the local administration, no damage of any kind was reported due to the incident pic.twitter.com/910yrv9IEi
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 8, 2023












Click it and Unblock the Notifications
