અવધેશ રાય હત્યાકાંડ: મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા, 1 લાખ વીસ હજારનો કરાયો દંડ
બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને વારાણસીની MP MLA કોર્ટમાં અવધેશ રાય હત્યા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં કોર્ટે મુખ્તાર અંસારીને આજીવન કેદની સજા ફટકારી છે, આ ઉપરાંત મુખ્તાર અંસારીને એક લાખ વીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

મુખ્તાર અંસારીને સોમવારે બપોરે 2 વાગ્યે સ્પેશિયલ જજ એમપી એમએલએ કોર્ટ અવનીશ ગૌતમ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી. આ કેસમાં પોલીસની ચાર્જશીટ અને ઉલટતપાસ અને જુબાની બાદ સોમવારે કોર્ટે ચુકાદો સંભળાવ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટ પરિસરની બહાર પોલીસ ફોર્સ તૈનાત રાખવામાં આવ્યો હતો.
સોમવારે બાંદા જેલમાં બંધ મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. પ્રોડક્શન બાદ બપોરે 12 વાગ્યે મુખ્તાર અંસારીને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. જે બાદ કોર્ટ દ્વારા 2 વાગે સજા સંભળાવવાનો મામલો સામે આવ્યો હતો. બહુચર્ચિત કેસના કારણે વારાણસી સહિત પૂર્વાંચલના વિવિધ જિલ્લાના લોકો મુખ્તાર અન્સારી સામે સંભળાવવામાં આવનાર સજા પર નજર રાખી રહ્યા હતા.
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
