Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અયોધ્યા કેસઃ SCમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ, હિંદુ પક્ષ પાસે જમીન પર અધિકારના પુરાવા નથી

અયોધ્યા કેસમાં SCમાં મુસ્લિમ પક્ષના વકીલે કહ્યુ કે હિંદુ પક્ષ પાસે જમીન પર અધિકારના કોઈ પુરાવા નથી.

અયોધ્યા ભૂમિ વિવાદ મામલે 38માં દિવસે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. સુપ્રીમ કોર્ટ તરફથી જે સમયસીમા નક્કી કરવામાં આવી છે તે મુજબ આજે મુસ્લિમ પક્ષે પોતાની દલીલ પૂરી કરવાની છે. ત્યારબાદ હિંદુ પક્ષને આના પર ચર્ચા માટે બે દિવસનો સમય આપવામાં આવશે. સોમવારે શરૂ થયેલી આ સુનાવણી પહેલા અયોધ્યામાં 10 ડિસેમ્બર સુધી માટે કલમ 144 લગાવી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ 17 ઓક્ટોબરના રોજ આ બહુચર્ચિત કેસમાં છેલ્લા દિવસે સુનાવણી થઈ શકે છે.

SC

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી શરૂ થઈ તો ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ મુસ્લિમ પક્ષને આજથી જ પોતાની દલીલ ખતમ કરવા માટે કહ્યુ. આના માટે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને અદાલતને દલીલો રજૂ કરવા માટે વધુ સમય માંગ્યો. ધવનની આ માંગ પર કોર્ટે કહ્યુ કે તે આજથી જ ચર્ચા પૂરી કરવા માટે કોશિશ કરે.

કોર્ટમાં દલીલ રજૂ કરીને રાજીવ ધવને કહ્યુ કે એએસઆઈની રિપોર્ટમાં મંદિર તોડવાની વાત કહેવામાં આવી નથી. હિંદુઓએ બહુ બાદમાં જમીનના ટાઈટલનો દાવો કર્યો. તેમણે 1934થી પ્રતિકૂળ કબ્જાનો દાવો કર્યો જેના કોઈ પુરાવા નથી. મુસ્લિમ પક્ષની તરફથી વકીલ ધવને કહ્યુ કે આ બતાવવા માટે કોઈ પુરાવા નથી કે બીજો પક્ષ એ ભૂમિનો માલિક છે, હિંદુઓને માત્ર પૂજાનો અધિકાર હતો.
રાજીવ ધવને કહ્યુ કે બ્રિટિશ સરકારે 1854માં બાબરી મસ્જિદ માટે ગ્રાંટ આપી હતી. 1885થી 1939 સુધી હિંદુ પક્ષ તરફથી જમીન પર કોઈ દાવો રજૂ કર્યો નહોતો. તેમણે કહ્યુ કે ગુંબજની નીચે રામનુ જન્મસ્થાન હોવાના શ્રદ્ધાળુઓના ફૂલ ચડાવવાથી દાવો સિદ્ધ નથી થયો. ત્યાં તો એ લોકો ટ્રેસ પાસિંગ કરીને ઘૂસ્યા હતા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X