SC એ પૂછ્યું, રામનું જન્મસ્થળ ક્યાં? વકીલે આપ્યો આવો જવાબ
અયોધ્યાની બાબરી મસ્જિદ-રામ મંદિર જમીન વિવાદ કેસમાં દરરોજ સુનાવણી થઇ રહી છે.
અયોધ્યાની બાબરી મસ્જિદ-રામ મંદિર જમીન વિવાદ કેસમાં દરરોજ સુનાવણી થઇ રહી છે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં જસ્ટિસ એસ.એ.બોબડે, જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ.એ. નઝીરની ખંડપીઠ આ મામલે રોજ સુનાવણી કરી રહી છે. શુક્રવારે કેસની છેલ્લી સુનાવણી વખતે વકફ બોર્ડે 5 દિવસની સુનાવણીનો વિરોધ કર્યો હતો, જોકે કોર્ટે તેમનો વિરોધ નકારી કાઢ્યો હતો. તે જ સમયે, રામલાલાના વકીલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી.

સુપ્રીમકોર્ટે પૂછ્યું, રામનું જન્મસ્થળ ક્યાં?
મંગળવારે સુનાવણી દરમિયાન રામલાલાના વકીલ એસ.સી. વૈદ્યનાથને પોતાની દલીલો રજૂ કરી હતી, આ દરમિયાન કોર્ટે તેમને પૂછ્યું હતું કે રામનું જન્મસ્થળ ક્યાં છે? આ અંગે વકીલે કહ્યું કે બાબરી મસ્જિદનો જ્યાં ગુંબજ હતો તેની નીચે છે. વકીલે કહ્યું કે અલાહાબાદ હાઈકોર્ટે બાબરી મસ્જિદના મુખ્ય ગુંબજ નીચેના સ્થાનને ભગવાન રામનું જન્મસ્થળ માન્યું છે. વકીલે કહ્યું કે વિવાદિત સ્થળની તેમની માલિકી મુસ્લિમ પક્ષ દ્વારા સાબિત થઈ શકી નથી.

બાબરે તે મસ્જિદ બનાવી હતી, તેના કોઈ પુરાવા નથી: રામલાલાના વકીલ
તેમણે એમ પણ કહ્યું હતું કે હિન્દુઓ જ્યારે પણ પૂજા માટે ખુલ્લી છૂટની માંગ કરે છે ત્યારે વિવાદ ફાટી નીકળે છે. એડવોકેટ વૈદ્યનાથને કહ્યું કે મસ્જિદ પહેલા તે સ્થળે એક મંદિર હતું. તેમણે કહ્યું કે બાબરે ત્યાં મસ્જિદ બનાવી હતી તેનો કોઈ પુરાવો નથી. મુસ્લિમ પક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમની પાસે 438 થી જમીનનો અધિકાર છે, પરંતુ હાઈકોર્ટે તેમની દલીલ સ્વીકારી ન હતી.

અઠવાડિયામાં 5 દિવસ સુનાવણી થઇ રહી છે
અયોધ્યામાં બાબરી મસ્જિદ-રામ મંદિર જમીન વિવાદને પરસ્પર સંમતિથી ઉકેલી ન શકાય તે પછી સુપ્રિમ કોર્ટે આ મામલે 6 ઓગસ્ટથી રોજની સુનાવણી શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટ 6 ઓગસ્ટથી અયોધ્યા જમીન વિવાદ કેસની સપ્તાહમાં પાંચ દિવસ સુનાવણી કરી રહી છે. જો કે વકફ બોર્ડ દ્વારા પાંચ દિવસની સુનાવણીના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સીજેઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે સુનાવણી પાંચ દિવસ ચાલશે.












Click it and Unblock the Notifications
