Ram Mandir: અયોધ્યામાં રામ લલ્લાના દર્શન માટે ઉમટ્યુ રામભક્તોનુ ઘોડાપૂર, રાતથી લાગી છે લાઈન
Ram Mandir: અયોધ્યાનું રામ મંદિર આજે 23મી તારીખથી સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. પહેલા જ દિવસે રામલલ્લાના દર્શન કરવા માટે રામભક્તોની ભીડ મંદિરની બહાર ઉમટી પડી હતી. રાતથી જ રામભક્તો મંદિર ખુલવા અને દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે.
મંગળવારે (23 જાન્યુઆરી) સવારે 7 વાગ્યાથી મંદિર સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. કડકડતી ઠંડીમાં રામલલ્લાના દર્શન કરવા માટે મંદિરની બહાર ભક્તોની લાંબી લાઈનો જોવા મળે છે.

રામ મંદિરના મુખ્ય દ્વારની બહાર મોડી રાતથી જ ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સવારે 2-3 વાગ્યાથી જ કતાર લાગી હતી. 'જય શ્રી રામ'ના નારા લગાવતા, ભક્તો લાઇનમાં ઉભા હતા અને હવે મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.
#WATCH | Ayodhya, Uttar Pradesh: Devotees gather in large numbers at Shri Ram temple on the first day after the Pran Pratishtha ceremony pic.twitter.com/EGo9yr9sXS
— ANI (@ANI) January 23, 2024
અયોધ્યામાં નવા પવિત્ર બનેલા રામ મંદિરના દરવાજા 23 જાન્યુઆરીએ જનતા માટે ખોલવામાં આવ્યા હતા. રામ મંદિર દરરોજ બે ટાઈમ સ્લોટ દરમિયાન ભક્તો માટે ખોલવામાં આવશે. મંદિર દરરોજ સવારે 7 થી 11:30 અને પછી બપોરે 2 થી 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. બપોરે 12:00 થી 2:00 વાગ્યા સુધી રામલલાને ભોજન અને આરામ આપવામાં આવશે. મંદિર અઠવાડિયાના સાતેય દિવસ ખુલ્લું રહેશે.
આગામી દિવસોમાં લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ મંદિરની મુલાકાત લેશે તેવી અપેક્ષા છે. જેઓ આ દિવ્ય રામ મંદિર જોવા માટે ઉત્સાહિત છે. મૈસુરના શિલ્પકાર અરુણ યોગીરાજે રામલલાની 51 ઈંચ ઊંચી પ્રતિમા બનાવી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?











Click it and Unblock the Notifications
