Ayodhya Verdict: ફેસલાથી નારાજ થયા સુન્ની વક્ફ બોર્ડના વકીલ જિલાની
Ayodhya Verdict: ફેસલાથી નારાજ થયા સુન્ની વક્ફ બોર્ડના વકીલ જિલાની
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 2.77 એકરની વિવાદિત જમીન પર પોતાનો ઐતિહાસિક ફેસલો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટના ફેસલાથી સુન્ની વક્ફ બોર્ડના વકીલ ઝફરયાબ જિલાની ભારે નિરાશ થયા છે. તેમનું કહેવું છે કે હવે તેઓ ફેસલો આવ્યા બાદની આગળની કાર્યવાહી પર ફેસલો લેશે. પાંચ જજોની સંવૈધાનિક પીઠ જેની આગેવાની મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈ કરી રહ્યા હતા, તેમના તરફથી વિવાદિત જમીન રામ જન્મભૂમિ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટમાં વક્ફ બોર્જનો દાવો રદ્દ
સુપ્રીમ કેર્ટે આ મામલાના બીજા પક્ષકાર સુન્ની વક્ફ બોર્ડને પાંચ એકર જમીન અયોધ્યામાં જ ગમે ત્યાં આપવાનો આદેશ પણ આપ્યો છે. જિલેનીએ કહ્યું કે જે પાંચ એકર જમીન બોર્ડને આપવાનો આદેશ આપવામાં આવ્યો છે, અમારા માટે તેની કઈ કિંમત નથી. બોર્ડ તરફથી વર્ષ 2010માં અલ્હાબાદ હાઈકોર્ટના ફેસલા વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. ઈસ 1946માં ટ્રાયલ કોર્ટ તરફથી ફેસલો આપવામાં આવ્યો હતો કે બાબરી મસ્જિદ સુન્નીની પ્રોપર્ટી છે. બોર્ડ તરફથી હંમેશા દાવો કરવાાં આવી રહ્ોય છે કે આ મસ્જિદ મુગલ બાદશાહ બાબરના શિયા હતા. શિયા વક્ફ બોર્ડ પણ અલ્હાબાદ હાઈકોર્ટમાં પક્ષકાર હતા અને વર્ષ 2017માં 1946ના ફેસલાને પડકાર આપવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા. સુપ્રીમ કોર્ટે બોર્ડના આ દાવાને માનવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે મસ્જિદનું નિર્માણ મીર બકીએ જ કરાવ્યું હતું.
Ayodhya Verdict: વિવાદિત જમીન રામ જન્મભૂમિને આપવાનો સુપ્રીમ કર્ટનો આદેશ