પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના: 50 કરોડ લોકો માટે રૂ. 5 લાખ સુધીની મફત સારવારની ભેટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ 'પ્રધાનમંત્રી જન આરોગ્ય' યોજનાની જાહેરાત કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ આયુષ્યમાન ભારત યોજના હેઠળ 'પ્રધાનમંત્રી જન આરોગ્ય' યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાની મદદથી 10 કરોડ પરિવારોને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનો મફત આરોગ્ય વીમો મળશે, જેની મદદથી તેઓ દેશભરમાં કોઈ પણ સરકારી હોસ્પિટલો અને સુચિબંદ્ધ ખાનગી હોસ્પિટલોમાં મફત સારવાર કરાવી શકશે. 25 સપ્ટેમ્બરે પંડિત દીન દયાલ ઉપાધ્યાયના જન્મ જયંતિના દિવસે તેને દેશભરમાં અમલમાં મુકવામાં આવશે. આ આરોગ્ય વીમા યોજનાને મોદી કેર પણ કહેવામાં આવે છે. જેની મદદથી દેશના 10 કરોડગરીબ પરિવારોના લગભગ 50 કરોડ લોકોને સુરક્ષા કવર મળશે. આજે અમે તમને જણાવીએ કે આ યોજના હેઠળ કોણ અને કઈ રીતે યોજનાનો લાભ મેળવી શકે છે.

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી 50 કરોડ લોકોને લાભ
10 કરોડ પરિવારોના 50 કરોડ લોકોને સરકારની આ યોજનાથી સ્વાસ્થ્ય કવર મળશે. દરેક પરિવારને 5 લાખ સુધીનો સુરક્ષા કવર કરવામાં આવશે. આમાં હોસ્પિટલમાં એડમિટ થતા પહેલાથી લઈને પછીનો ખર્ચ પણ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં હોસ્પિટલમાં લાવવા અને લઇ જવાનો ખર્ચ પણ જોડવામાં આવશે.

કોણે મળશે યોજનાનો લાભ
આ યોજનાથી દેશના ગરીબ પરિવારોને ફાયદો થશે. આમાં દેશના લગભગ 10.74 કરોડ ગરીબ અને વંચિત કુટુંબોને મફતમાં સ્વાસ્થ્ય વીમો મળશે. આ સામાજિક-આર્થિક જાતિ જનગણનાના ડેટા પર આધારિત હશે, આમાં ન પરિવારનું કદ આડે આવશે અને ન વય પર કોઈ મર્યાદા હશે. પરિવારના વૃદ્ધોથી લઈને નવજાત તમામને આવરી લેશે.

કેવી રીતે મળશે લાભ?
આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વીમાધારક યોજનાના પેનલમાં શામેલ કોઈપણ હોસ્પિટલથી કેશલેસ સારવાર મેળવી શકે છે. ખાનગી હોસ્પિટલો ઑનલાઇન પેનલમાં રાખવામાં આવશે. વીમાધારક દેશમાં કોઈપણ હોસ્પિટલમાં જઈ શકે છે અને તેની સારવાર મેળવી શકે છે. આ કેશલેસ સારવાર માટે આઇટી ફ્રેમવર્ક વિકસાવવામાં આવશે.
-
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
