જુઓ મોદીનો Exlsv ઇન્ટરવ્યૂ: આઝમને જવાબ.. 'કૂતરા જેવું વફાદાર કોઇ નથી'

Google Oneindia Gujarati News

બેંગલોર, 12 એપ્રિલ: હાલમાં દેશમાં ચૂંટણીનો માહોલ ચરમસીમાએ છે. લોકસભા ચૂંટણીના ત્રણ ચરણોનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. રેલીઓ પર રેલીઓ થઇ રહી છે પરંતુ ચારે બાજું હંમેશા માત્ર એક જ ચર્ચા થઇ રહી છે કે રેલીઓમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જોરદાર કોંગ્રેસ, રાહુલ ગાંધી, આઝમ ખાન અને સોનિયા ગાંધી પર નિશાનો સાધે છે અને તેઓ મીડિયાને જવાબ આપવાથી કેમ બસે છે.

પરંતુ મોદીએ આ વખતે તમામ ટિકાકારોના એ વખતે મો બંધ કરી દીધી છે જ્યારે તેમણે ઇન્ડિયા ટીવીના ફેમશ શો 'આપ કી અદાલત'માં જનતાની સામે હાજર થયા. પોતાના વ્યસ્ત કાર્યક્રમોની વચ્ચે મોદીએ 'આપ કી અદલાત' માટે સમય નીકાળ્યો અને રાત્રે 11 વાગ્યાથી રાત્રે 12.30 વાગ્યા સુધી સતત રજત શર્મા અને જનતાના સવાલોના જવાબ આપતા રહ્યા.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુપીના સપા મંત્રી આઝમ ખાને જ્યારે તેમને કૂતરાના મોટા ભાઇ કહ્યા તો તેઓ ચૂપ કેમ રહ્યા? ત્યારે મોદીએ હસતા હસતા જણાવ્યું કે દરેકની વાત પર ટિપ્પણી કરવાની તેમની ફિતરત નથી અને એ તેમનું કામ નથી. તેમની પાસે કરવા માટે ઘણા કામ છે.

પરંતુ તો પણ હું આઝમ ખાનને ધન્યવાદ આપવા માંગુ છું કારણ કે તેમણે અજાણતા પણ મારા વખાણ તો કર્યા, કારણ કે કૂતરાથી મોટો વફાદાર કોઇ નથી હોતું, અને મારી વફાદારી મારા દેશ અને દેશ વાસીઓ માટે છે, અને આ વાત ગુજરાત સહિત દેશની જનતા પણ જાણે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આઝમ ખાને હાલમાં જ મોદી પર નિશાનો સાધતા તેમને કૂતરાના મોટા ભાઇ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મોદી દેશના મુસ્લિમો માટે ખૂબ જ ખતરનાખ છે, આવામાં જો તેઓ વડાપ્રધાનની ખુર્શી પર બેસસે તો દેશના ટૂકડે ટૂકડા થઇ જશે.

નોંધ: મોદીનો એક્સક્લૂસિવ શો 'આપ કી અદાલત' શનિવાર રાત્રે 10 વાગ્યે અને રવિવારે સવારે 10 અને રાત્રે 10 વાગ્યે ઇન્ડિયા ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

મોદી આપ કી અદાલતમાં

મોદી આપ કી અદાલતમાં

નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ટીવીના ખાસ શો 'આપ કી અદાલત'માં આપ્યું એક્સક્લુસિવ ઇન્ટરવ્યૂ અને આપ્યા ઘણા સવાલોના જવાબ.

મોદીનો આઝમ ખાનને જવાબ

મોદીનો આઝમ ખાનને જવાબ

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે યુપીના સપા મંત્રી આઝમ ખાને જ્યારે તેમને કૂતરાના મોટા ભાઇ કહ્યા તો તેઓ ચૂપ કેમ રહ્યા? ત્યારે મોદીએ હસતા હસતા જણાવ્યું કે દરેકની વાત પર ટિપ્પણી કરવાની તેમની ફિતરત નથી અને એ તેમનું કામ નથી. તેમની પાસે કરવા માટે ઘણા કામ છે.

આઝમનો માન્યો આભાર

આઝમનો માન્યો આભાર

હું આઝમ ખાનને ધન્યવાદ આપવા માંગુ છું કારણ કે તેમણે અજાણતા પણ મારા વખાણ તો કર્યા, કારણ કે કૂતરાથી મોટો વફાદાર કોઇ નથી હોતું, અને મારી વફાદારી મારા દેશ અને દેશ વાસીઓ માટે છે, અને આ વાત ગુજરાત સહિત દેશની જનતા પણ જાણે છે.

મોદીએ રમખાણ વિશે શું કહ્યું..

મોદીએ રમખાણ વિશે શું કહ્યું..

મોદીએ રમખાણ પર સવાલ કરાતા જણાવ્યું કે કેન્દ્ર સરકારને અક્ષરધામ મંદિર પર આતંકવાદીઓ દ્વારા થયેલો હુમલો નથી યાદ, અમદાવાદમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટ નથી યાદ. તેમને એ યાદ હોવું જોઇએ કે છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં કરફ્યૂ એટલે શું લોકો ભૂલી ગયા છે.

મોદીની લહેર વિશે શું કહ્યું

મોદીની લહેર વિશે શું કહ્યું

નરેન્દ્ર મોદીને પૂછાયું કે વિપક્ષ એમ કહે છે કે મોદીએ મીડિયામાં પોતાની લહેર બનાવી છે પણ છે નહીં. તેમણે જણાવ્યું કે નીતિશ કુમારને છોડો આ જનતાને જ પૂછો કે તેમને કોણે કહ્યું છે મોદીનું નામ લેવાનું.

English summary
SP minister Azam Khan has no sense, He is not good for Indian Mass said Narendra Modi in Aap ki Adalat. ndia TV will telecast Aap Ki Adalat with Narendra Modi on April 12 (Saturday) at 10 pm, and April 13 (Sunday) at 10 am and 10 pm.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X