કુંભ મેળામાં બાબા રામદેવે સાધુ-સંતોને અનોખી અપીલ કરી
પ્રયાગરાજ પહોંચેલા બાબા રામદેવે ત્યાંના સાધુ-સંતોને ધુમ્રપાન નહીં કરવા માટે કહ્યું છે. તેમને કહ્યું કે અમે રામ અને કૃષ્ણનું અનુસરણ કરીયે છે.
પ્રયાગરાજ પહોંચેલા બાબા રામદેવે ત્યાંના સાધુ-સંતોને ધુમ્રપાન નહીં કરવા માટે કહ્યું છે. તેમને કહ્યું કે અમે રામ અને કૃષ્ણનું અનુસરણ કરીયે છે. તેમને આખું જીવન ધુમ્રપાન નથી કર્યું, તો આપણે કેમ કરીયે છે? આપણે નશો છોડી દેવો જોઈએ. આપણે સાધુઓએ મોટા કામ માટે આપણા માતાપિતા, ઘર પરિવારને છોડી દીધા છે, તો શુ આપણે ધુમ્રપાન ના છોડી શકીયે? બાબા રામદેવે કુંભ પહોંચીને સાધુ-સંતો સાથે વધારે સમય પસાર કર્યો. બાબા રામદેવ કુંભમાં નશામુક્તિ અભિયાન લઈને ગયા છે. અહીં તેમને સાધુ-સંતોને નશો છોડવાનું આહ્વાન કર્યું.
આ પણ વાંચો: 33,400 લોકોને બાબા રામદેવ નોકરી આપશે, જાણો શું છે પ્લાન

તંબાકુ છોડવાની શપથ અપાવી
બાબા રામદેવે આ દરમિયાન અલગ અલગ સાધુઓ પાસેથી તેમનું ચિલ્લમ લઇ લીધું અને તંબાકુ છોડવાની શપથ અપાવી. તેમને કહ્યું કે આ બધી ચિલ્લમ ભેગી કરીને તેને મ્યુઝિયમમાં રાખીશ. બાબા રામદેવે કહ્યું કે મેં યુવાનો પાસેથી તંબાકુ અને ધુમ્રપાન છોડાવ્યું છે, તો મહાત્માઓ પાસેથી કેમ નહીં છોડાવી શકું. સાધુઓએ પણ સ્વેચ્છાથી પોતાના ચિલ્લમ બાબા રામદેવને આપી દીધા. આ કુંભમાં કરોડો લોકો આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભિક્ષુક છે.

7 લાખથી વધારે નાગા સાધુઓ પહોંચ્યા
આપણે જણાવી દઈએ કે 55 દિવસો સુધી ચાલનાર કુંભ મેળો 4 માર્ચે પૂરો થઇ રહ્યો છે. આ વખતે લગભગ 13 કરોડ લોકો અહીં પહોંચશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અહીં પહોંચનાર ભક્તોનું માનવું છે કે કુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવવાથી તેમના બધા જ પાપો ધોવાઈ જાય છે. આ વખતે પણ સંગમ તટ પર 7 લાખથી વધારે નાગા સાધુઓ પહોંચ્યા છે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ
કુંભ પહોંચેલા બાબા રામદેવે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખતા જલ્દી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવવાની માંગ કરી છે. આ દરમિયાન તેમને કહ્યું કે ભગવાન રામ કોઈ રાજનૈતિક મુદ્દો નથી. તે કોઈ પાર્ટી માટે વોટ બેંક નથી.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
