Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

33,400 લોકોને આપશે નોકરી બાબા રામદેવ, જાણો શું છે પ્લાન

યોગગુરુ બાબા રામદેવ આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ફૂડ અને હર્બલ પાર્ક ખોલવા જઈ રહ્યા છે. આ પાર્ક લગભગ 33,400 લોકોને રોજગાર આપશે.

યોગગુરુ બાબા રામદેવ આંધ્રપ્રદેશના વિજયનગરમમાં ફૂડ અને હર્બલ પાર્ક ખોલવા જઈ રહ્યા છે. આ પાર્ક લગભગ 33,400 લોકોને રોજગાર આપશે. આ અંગે સ્વામી રામદેવે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે ગુરુવારે મુલાકાત કરી ત્યારબાદ સીએમે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી. પતંજલિ તા ફુડ અને હર્બલ પાર્ક 172.84 એકરમાં બનશે.

ramdev-chandrababu

સ્વામી રામદેવનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક આંધ્રપ્રદેશના વિજયનગરમના ચિન્નારાપલ્લી ગાંમમાં ખોલવામાં આવશે. આ પાર્ક અંગે રામદેવે ગુરુવારે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ સાથે મુલાકાત કરી. પાર્ક 172.84 એકરમાં બનશે અને તે બનાવવામાં 634 કરોડની કિંમત લાગશે. કહેવામાં આવી રહ્યુ છે કે આ પ્રોજેક્ટ 33,400 લોકોને નોકરી મળશે. આ પાર્કમાં કોલ્ડ સ્ટોરેજથી લઈ ડ્રાઈ વેરહાઉસ હશે. જ્યુસ કાઢવા માટેનું યુનિટ પણ 45.20 કરોડની કિંમતમાં લગાવવામાં આવશે.

બાબા રામદેવે પતંજલિ બ્રાંડના કપડા કાઢ્યા હતા. તેમણે દિલ્લીના નેતાજી સુભાષ પ્લેસમાં પહેલા પતંજલિ પરિધાન શો રૂમનું ઉદઘાટન કર્યુ હતુ. ગયા મહિને રામદેવની કંપની પતંજલિમાં પહેલી વાર ઘટાડો જોવા મળ્યો હતો. કંપનીના વેચાણમાં 10 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ત્યારબાદ કંપનીનું વેચાણ 8184 કરોડ રૂપિયા પર પહોંચી ગયુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X