Balasor train Accident: મૃતકોના પરિવારોના એક સભ્યને નોકરી આપશે મમતા સરકાર, CMએ કરી જાહેરાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે હાવડામાં બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ અકસ્માતમાં કેટલાક લોકોએ તેમના હાથ, પગ ગુમાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

આવા લોકો માટે અમારી સરકારે નિર્ણય લીધો છે કે અમે તેમના પરિવારના એક સભ્યને ખાસ હોમગાર્ડની નોકરી આપીશું. હું ફરી કટક અને ભુવનેશ્વરની મુલાકાત લઈશ. બુધવારે, અમે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને એક્સ-ગ્રેશિયા ચેક અને નોકરીના પત્રો સોંપીશું.
રેલ્વે બોર્ડ દ્વારા બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માંગ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકો સત્ય જાણે. આ સમય સત્યને દબાવવાનો નથી. તમને જણાવી દઈએ કે કોરોમંડલ એક્સપ્રેસ ગયા શુક્રવારે સાંજે 7 વાગે ઓડિશાના કે બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન પાસે ક્રેશ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.
#WATCH | West Bengal CM Mamata Banerjee reacts on Railway Board seeking CBI inquiry into Balasore train accident, says "We want people to know the truth. It is not the time to suppress the truth". pic.twitter.com/hWUNRxZK7M
— ANI (@ANI) June 5, 2023
2 જૂને સાંજે 7 વાગ્યે કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ટ્રેન ખોટા પાટા પર ચડી ગઈ હતી. ત્યારબાદ તે માલગાડી સાથે અથડાઈ હતી. જેમાં 21 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આઝાદી પછીનો સૌથી મોટો ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
