Balasor train Accident: મૃતકોના પરિવારોના એક સભ્યને નોકરી આપશે મમતા સરકાર, CMએ કરી જાહેરાત
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે હાવડામાં બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી. આ અકસ્માતમાં કેટલાક લોકોએ તેમના હાથ, પગ ગુમાવ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

આવા લોકો માટે અમારી સરકારે નિર્ણય લીધો છે કે અમે તેમના પરિવારના એક સભ્યને ખાસ હોમગાર્ડની નોકરી આપીશું. હું ફરી કટક અને ભુવનેશ્વરની મુલાકાત લઈશ. બુધવારે, અમે ઓડિશા ટ્રેન દુર્ઘટનાનો ભોગ બનેલા પરિવારોને એક્સ-ગ્રેશિયા ચેક અને નોકરીના પત્રો સોંપીશું.
રેલ્વે બોર્ડ દ્વારા બાલાસોર ટ્રેન દુર્ઘટનાની સીબીઆઈ તપાસની માંગ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે લોકો સત્ય જાણે. આ સમય સત્યને દબાવવાનો નથી. તમને જણાવી દઈએ કે કોરોમંડલ એક્સપ્રેસ ગયા શુક્રવારે સાંજે 7 વાગે ઓડિશાના કે બાલાસોર જિલ્લામાં બહાનાગા રેલવે સ્ટેશન પાસે ક્રેશ થઈ હતી. જેમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.
#WATCH | West Bengal CM Mamata Banerjee reacts on Railway Board seeking CBI inquiry into Balasore train accident, says "We want people to know the truth. It is not the time to suppress the truth". pic.twitter.com/hWUNRxZK7M
— ANI (@ANI) June 5, 2023
2 જૂને સાંજે 7 વાગ્યે કોરોમંડલ એક્સપ્રેસ બહાનાગા રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. તે જ સમયે ટ્રેન ખોટા પાટા પર ચડી ગઈ હતી. ત્યારબાદ તે માલગાડી સાથે અથડાઈ હતી. જેમાં 21 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. જેના કારણે આઝાદી પછીનો સૌથી મોટો ટ્રેન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોના મોત થયા છે.
-
Women's Day 2026: 8 માર્ચે જ કેમ ઉજવાય છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ? જાણો ઈતિહાસ, મહત્વ અને આ વર્ષની થીમ -
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
