જેને 'વંદે માતરમ'થી સૂગ હોય, તે દેશ છોડીને જઇ શકે છે: બીજેપી

બર્કે વંદે માતરમ બોયકોટ કર્યા બાદ ઇસ્લામનો હવાલો આપ્યો હતો. સોમનાથ ચેટર્જીએ આની પર કડક ટિપ્પણી કરી છે. જ્યારે બર્કની ચારે બાજુથી ટિકા થવા લાગી તો તેમણે કહ્યું કે તેમને કેટલીક સંવેધાનિક અધિકાર મળ્યા છે, જેનાથી ધાર્મિક આઝાદીને સુરક્ષા મળે છે પરંતુ કેટલીક એવી વાતો પણ છે જે ધર્મની વિરુદ્ધ છે તેનો વિરોધ કરવો મારો અધિકાર છે. મને નથી લાગતું કે આ માતૃભૂમિથી પ્રેમના વિરુદ્ધ છે.
બર્કના આ તર્ક પર સોમનાથ ચેટર્જીએ કહ્યું કે હું નથી સમજી શકતો કે એક સિનિયર સાંસદે રાષ્ટ્ર ગીત પર કેમ આપત્તિ વ્યક્ત કરી. તેઓ એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયા છે નહીં કે કોઇ ખાસ ધર્મને સંસદમાં રજૂ કરવા માટે. લોકસભા સ્પીકરને નિર્ણય કરવો જોઇએ કે તે સાંસદ પર શું કાર્યવાહી થવી જોઇએ.
બીજેપીએ પણ બીએસપી સાંસદની કડક શબ્દોમાં ટીકા કરી છે. બીજેપીએ જણાવ્યું કે જે લોકોને વંદે માતરમથી સૂગ હોય, તેઓ દેશ છોડીને જઇ શકે છે. બીજેપીના રાષ્ટ્રીય ઉધ્યક્ષ મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે વંદે માતરમનું અપમાન સંવિધાનનું અપમાન છે. જેને વંદે માતરમથી વાંધો હોય તેને આ સંસદનો ભાગ બનવાનો હક છે અને નહી આ દેશમાં રહેવાનો હક છે. કેન્દ્ર સરકાર તો લૂંટમાં વ્યસ્ત છે, માટે તેને આ મામલે બોલવાનો સમય નથી. આ દેશમાં તાલિબાની વલણ સહી નહી લેવાય એ વાતને સમજવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
