સાઈક્લોન વાયુઃ વર્ષોવર્ષ વધુ વિનાશકારી થતા જશે તોફાન
જો વૈજ્ઞાનિકોની માનીએ તો આવનારા સમયમાં વાયુથી પણ વધુ વિનાશકારી તોફાન ભારતમાં આવી શકે છે.
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગાની 24 કલાકોની અંદર તોફાન અરબ સાગર પાસેના ભારતના દરિયાકિનારામાં ઘૂસી જશે. તોફાનના ભારતમાં પ્રવેશ કરતા જ 170થી 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની આશંકા છે. સાથે જ ભારે વરસાદ, જેના કારણે કિનારાના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. પરંતુ જો વૈજ્ઞાનિકોની માનીએ તો આવનારા સમયમાં વાયુથી પણ વધુ વિનાશકારી તોફાન ભારતમાં આવી શકે છે. આના કારણે નિરંતર દૂષિત થઈ રહ્યુ છે પર્યાવરણ. ચાલો ચર્ચા કરીએ એ રિપોર્ટ્સની જે હાલમાં વર્ષાં રિલીઝ થયા. સાથે જ અમે એ પણ જણાવીશુ કે હવામાનમાં થઈ રહેલ આ ફેરફાર ભારત પર કેવી રીતે અસર કરશે.

પ્રદૂષણ કેવી રીતે બનાવે છે તોફાનનો વિનાશકારી
વૈજ્ઞાનિકો અનુસાર જ્યારે તાપમાન બહુ વધુ હોય છે ત્યારે વાતાવરણમાં હાજર પાણી એટલે કે ભેજ વાદળોમાં વધુ માત્રામાં એકત્ર થાય છે. જેટલુ વધુ તાપમાન એટલુ વધુ પાણી. જ્યારે તોફાન આવે છે તો એ જ પાણી પૂર સ્વરૂપે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવે છે. વળી, સમુદ્રી સ્તર વધવાના કારણે કિનારાના વિસ્તારોમાં વધુ નુકશાનની શંકા પણ રહે છે. વાયુ પ્રદૂષણના ઘણા કારણો હોઈ શકે છે જેના કારણે અરબ સાગરમાં ઉઠતા તોફાન આવનારા સમયમાં વધુ ઘાતક થઈ શકે છે. કારણ એ છે કે વાયુ પ્રદૂષણ એ બળને ઘટાડી દે છે જે તોફાનને બનવાથી રોકે છે.

વધુ વિનાશકારી બની શકે
નેશનલ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફિયારીક એડમિનિનસ્ટ્રેશનના વૈજ્ઞાનિક ડૉ. જેમ્સ કોસિન કહે છે કે અરબ સાગરની ઉપર વાયુ પ્રદૂષણના કારણે સમુદ્રની એ હવાઓ નબળી પડી રહી છે જે તોફાન બનવાથી રોકે છે. ખાસ કરીને ચોમાસાની પહેલા. અને તેની ઉપર જ્યારે તાપમાન વધુ હોય છે ત્યારે વધુ તીવ્રતાવાળા તોફાન બને છે. અરબ સાગરની વાત કરીએ તો ગયા ઘણા વર્ષોમાં આના પર ઉઠતા તોફાન નીરંતર તીવ્ર બની રહ્યા છે. આવનારા સમયમાં તે વધુ વિનાશકારી બની શકે છે. આવુ એટલા માટે કારણકે વધુ તાપમાન હોવા પર તોફાનની અંદર સ્થિતિજ ઉર્જા (પોટેંશિયલ એનર્જી) વધી જાય છે સાથે હવાની ગતિ પણ વધી જાય છે.

ભારતીય મહાસાગર પર તોફાન
વૈશ્વિક સ્તરે સમુદ્રી સ્તર લગભગ 19 સેમી સુધી વધી ગયુ છે. આના કારણે ઉત્તરી ભારતીય મહાસાગરમાં તોફાનની પુનરાવૃત્તિ વધવાની આશંકા છે. સમુદ્રની વચ્ચે નાની લહેરો પણ ભયાનક સ્વરૂપ લઈ શકે છે. વૈજ્ઞાનિકો આની પાછળ ગ્લોબલ વૉર્મિંગને જવાબદાર ગણાવ્યુ છે. જો કે આ વાતની પુષ્ટિ હજુ સુધી નથી થઈ કે અરબ સાગરમાં વાયુ જેવા તોફાન જલ્દી-જલ્દી આવશે.
-
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક











Click it and Unblock the Notifications
