મહાકુંભમાં ભાગદોળમાં મૃત્યુ થયુ હોવાનું માનીને પરિવારે ધાર્મિક વિધિ રાખી, તેરમાના દિવસે જીવતો ઘરે આવ્યો
પ્રયાગરાજ ખાતે મહાકુંભ ચાલી રહ્યો છે અને આ મહાકુંભમાં શ્રદ્ધાની ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલા અમૃત સ્નાન વખતે ભાગદોડ થઈ હતી, જેમાં 30થી વધુ લોકોના મોત થયાના અહેવાલ સામે આવ્યા હતા ત્યારે તેમાં પ્રયાગરાજના એક વ્યક્તિએ પણ જીવ ગુમાવ્યો હતો.
પ્રયાગરાજના આ વ્યક્તિના પરિવારે તેની દિવસો સુધી શોધખોળ કરી પણ આ વ્યક્તિ મળ્યા નહી, જેથી પરિવારના સભ્યોએ માની લીધુ કે, તેમનું ભાગદોડમાં મૃત્યુ થયુ છે અને તેના તેરમા દિવસના ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યુ હતું.
પરિવારના સભ્યોએ ધાર્મિક વિધિમાં મૃતકની તેરમાની વિધિનું આયોજન કર્યું હતું, તેરમાની વિધિના દિવસે સાંજે બ્રહ્મભોજની તૈયારી ચાલી રહી હતી, આજ સમયે મૃતક તેના ઘર પાસે આવીને જીવતો ઉભો રહી ગયો.
મૃત માણસને પોતાની સામે જીવતો જોઈને પરિવારના સભ્યો તથા ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને શોકનો પ્રસંગ આનંદમાં ફેરવાઈ ગયો હતો.
પ્રયાગરાજના આ વ્યક્તિનું નામ ખૂંટી ગુરુ છે. તેનો પોતાનો કોઈ પરિવાર નથી; તેના પડોશમાં રહેતા તેના પડોશીઓ જ તેનો પરિવાર છે. તેઓ 28 જાન્યુઆરીએ મૌની અમાવસ્યા નિમિત્તે અમૃત સ્નાન કરવા માટે મહાકુંભમાં ગયા હતા.
29 જાન્યુઆરીના રોજ મહાકુંભ દરમિયાન સંગમ પર થયેલી ભાગદોડ બાદથી તે ગુમ હતો. TOI ના અહેવાલ મુજબ, તેના ગુમ થયા પછી તેની ખૂબ શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તે મળ્યો ન હતો.

જ્યારે તે ઘણા દિવસો સુધી પાછો ન ફર્યો, ત્યારે તેના પડોશના લોકોએ 11 ફેબ્રુઆરીના રોજ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના સભાનું આયોજન કર્યું અને તેરમા દિવસે બ્રાહ્મણ ભોજનનું આયોજન કરવામાં આવ્યું.
જ્યારે બ્રાહ્મણ ભોજનની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે તે ઓટો રિક્ષામાંથી નીચે ઉતર્યો અને હસતાં હસતાં કહ્યું, તમે બધા શું કરી રહ્યા છો?
ખૂંટી ગુરુ જીવંત અને સલામત પાછા ફર્યા ત્યારે વિસ્તારના લોકોએ તેમના તેરમા દિવસના સમારંભ માટે લોકોને પુરીઓ, શાકભાજી અને અન્ય વાનગીઓનું વિતરણ કરીને તેમના મૃત્યુમાંથી પાછા ફરવાની ઉજવણી કરી.
ખૂંટી ગુરુએ જણાવ્યું કે તેઓ મહાકુંભમાં સાધુઓના એક જૂથને મળ્યા હતા, જેમની સાથે તેમણે ચિલ્લમ પીધી અને ગાઢ નિદ્રામાં સરી પડ્યા.
આ પછી તે નાગા સાધુઓના એક જૂથ સાથે રહેવા લાગ્યો અને લોકોને ભોજન પીરસીને સેવા કરતો અને જ્યારે તેને કંટાળો આવ્યો ત્યારે તે ઘરે પાછો ફરતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
