For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેની પ્રસાદે કહ્યું 2014માં પાછી નહીં ફરે યુપીએ

|
Google Oneindia Gujarati News

beni prasad verma
નવી દિલ્હી, 23 ઓક્ટોબર: કેન્દ્રીય મંત્રી બેની પ્રસાદ વર્માએ ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કરી ચર્ચાનો વિષય બની ગયા છે. હજી હમણા જ તેમણે સલમાન ખુર્શીદના ટ્રસ્ટમા ગોટાળાને લઇને તેમના બચાવમાં જણાવ્યું હતું કે 71 લાખના ગોટાળાની તો કોઇ તપાસ થતી હશે. મંત્રી માટે આ રકમ બહું નાની છે. જ્યારે હોબાળો મચ્યો તો એ જ જવાબ આપ્યો કે મારા નિવેદનને તોળીમરોળીને રજૂ કરવામા આવ્યું છે.

જોકે હવે તેમણે એવું નિવેદન કર્યું છે કે 2014ની સામાન્ય ચૂંટણી બાદ યુપીએ સરકાર ફરી સત્તા પર આવી શકશે નહીં. જોકે આ વખતે તેમને તેમની ભૂલનો તુરંત અહેસાસ થઇ ગયો માટે તેમણે તુરંત જ કહી દીધું કે યુપીએ ભલે ના પાછી ફરે પરંતુ કોંગ્રેસ તો ચોક્કસ સત્તા પર પાછી આવશે.

આ પહેલા પણ બેની પ્રસાદે મોંઘવારીના મુદ્દે કહ્યું હતુ કે મોંઘવારી વધવાથી લોકો ખુશ છે અને તેનાથી ખેડૂતોને ફાયદો થાય છે. ત્યારે પણ તેમણે આરોપ મીડિયા પર થોપી દીધો હતો.

English summary
central minister Beni Prasad Verma said that UPA government will not come again in 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X