બેની પ્રસાદ લે છે ચરસ, અને કરે છે અફીણની તસ્કરી: શિવપાલ યાદવ

શિવપાલ યાદવે સર્કિટ હાઉસમાં પત્રકારોને સંબોધતાં કહ્યું હતું કે તમને લોકોને ખબર હશે અને તમે વાંચ્યું હશે કે બેની પ્રસાદ વર્મા વધારે ધુમ્રપાન કરે છે. આજકાલ તે વધારે ધુમ્રપાન કરી રહ્યાં છે. તે તંબાકુમાં કંઇ મેળવે છે. તેમને સારવાર કરાવવી જોઇએ. તેમને કહ્યું હતું કે તમે એ વાંચ્યું હશે બેની પ્રસાદ અફીણની તસ્કરીમાં સામેલ છે. તે સિગરેટમાં ચરસ મિલાવે છે. આજકાલ એ આ બંને વસ્તુ કરી રહ્યાં છે. માટે તેમના દિમાગ પર અસર વર્તાઇ રહી છે.
તાજેતરમાં કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે લોકસભાની ચુંટણી બાદ સમાજવાદી પાર્ટીની સ્મશાનયાત્રા નિકળશે ત્યારબાદ સમાજવાદી પાર્ટીએ આ હુમલો કર્યો હતો. બેની પ્રસાદે ભવિષ્યવાણી કરી હતી કે સમાજવાદી પાર્ટીને માત્ર ચાર સીટો મળશે. બેની પ્રસાદે સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ પર બાબરી મસ્જિદ મુદ્દે મુસલમાનો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો હતો.
શિવપાલ યાદવે બેની પ્રસાદની સ્મશાનયાત્રા વાળી ટિપ્પણી પર કેન્દ્રિય સ્ટીલ મંત્રી બેની પ્રસાદને પદ પરથી હટાવવાની માંગ કરતાં કહ્યું હતું કે તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી અખિલેશ યાદવે બેની પ્રસાદ પર હુમલો કરતાં સંકેત આપ્યા હતા કે તે કોંગ્રેસ હશે જેને ચારથી પાંચ સીટોથી વધારે મળશે નહી.
અખિલેશ યાદવે અલ્હાબાદમાં પત્રકારોને કહ્યું હતું કે વિધાનસભા ચુંટણીમાં મોટાભાગે વિધાનસભા વિસ્તારોમાં પાંચ થી 10 હજાર વોટ મેળવવા માટે સંઘર્ષ કરનાર પાર્ટીઓ લોકસભાની ચુંટણીમાં 80માંથી ચારથી પાંચ સીટો જીતી શકશે નહી. સમાજવાદી મહાસચિવ રામગોપાલ યાદવે કહ્યું હતું કે બેની પ્રસાદ પોતાના પુત્ર રાકેશની વિધાનસભાની ચુંટણીમાં બે વાર હાર થતાં તે પાર્ટી સાથે દ્વેષ રાખે છે.
બેની પ્રસાદે તાજેતરમાં હંગામો કર્યો હતો કે મુલાયમ સિંહ યાદવ આતંકવાદી સાથે સંબંધ ધરાવે છે. ત્યારબાદ તેને કેન્દ્રિય મંત્રીમંડળમાંથી હટાવવાની માંગ ઉઠી હતી. કોંગ્રેસ નેતૃત્વ દ્રારા દબાણ કરાતાં તેમને પોતાની ટિપ્પણી પર ખેદ વ્યકત કર્યો હતો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
