'લોકોને કોઈ કાપ વિના મળશે વિજળી', ભગવંત માન સરકારે 20200 કરોડની સબસિડીની કરી ચૂકવણી
Bhagwant Mann: શુક્રવારે એક મોટી જાહેરાત કરતા મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે અમે નાણાકીય વર્ષ 22-23 માટે 20,200 કરોડ રૂપિયાની સંપૂર્ણ વીજળી સબસિડી ચૂકવી દીધી છે. વળી, માન સરકારે કહ્યું કે એક્સાઇઝ ડ્યુટી અને જીએસટીની આવકમાં પણ ઉછાળો આવ્યો છે.
મુખ્યમંત્રી ભગવંત માને ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે પંજાબના લોકોને કોઈપણ કાપ વિના વીજળી મળશે. તેમણે ખાતરી આપી હતી કે હવે પાવર કટની કોઈ સમસ્યા નહીં આવે. સીએમ ભગવંત માને કહ્યું કે રાજ્યએ નાણાકીય વર્ષ 2022-23 માટે 8841 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે.

જે 2021-22ની આવક કરતા 41.41 ટકા વધુ છે. તેમણે કહ્યું કે અમારી સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે આબકારી આવકમાં રૂ. 10,000 કરોડનો લક્ષ્યાંક રાખ્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શનમાં 16.6 ટકાની વૃદ્ધિ નોંધાવી છે, જેણે વર્ષ 2022-23 માટે 18126 કરોડ રૂપિયાની આવક મેળવી છે.
તેમણે કહ્યું કે પંજાબ હવે જીએસટી કલેક્શનમાં ટોચ પર છે. માર્ચમાં સ્ટેમ્પ ડ્યુટી અને ફી વસૂલાતમાં 78 ટકાનો વધારો નોંધાયો હોવાનું જણાવ્યું હતું. સરકારે અગાઉ મિલકતોની નોંધણી પર સ્ટેમ્પ ડ્યુટી અને ચાર્જીસમાં 2.25 ટકાની છૂટની જાહેરાત કરી હતી.
9020 કરોડની બાકી રકમમાંથી રૂ. 1804 કરોડ પણ ચૂકવી દેવામાં આવ્યા છે અને બાકીના રૂ. 7216 કરોડ દર વર્ષે રૂ. 1804 કરોડના 4 વર્ષના હપ્તામાં ચૂકવવામાં આવશે.












Click it and Unblock the Notifications
