2 સપ્ટેમ્બર છે બંધ, જાણો શું રહેશે ચાલુ અને શું રહેશે બંધ
કેન્દ્ર સરકારની તરફથી બિન-કૃષિ ક્ષેત્રના મજૂરોનું વેતન વધારવામાં આવ્યું છે. દરરોજનું વેતન 112 રૂપિયાથી વધારી 350 રૂપિયા કરવા આવ્યું છે. તેમ છતાં ટ્રેડ યુનિયને 2 સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં બંધની જાહેરાત કરી છે. ટ્રેડ યુનિયનનું કહેવું છે કે તે આ વધારાથી ખુશ નથી જેના કારણે તેમણે આ હડતાલ કરી છે.
કંઇ કંઇ વસ્તુઓ રહેશે બંધ
ટ્રેડ યુનિયને સમગ્ર દેશમાં વ્યાપક બંધની જાહેરાત કરી છે. આ બંધમાં લગભગ 15 કરોડ મજૂરો ભાગ લેશે. અને બંધના કારણે સરકારી, ખાનગી બેંક, વીમા કંપનીઓ, સરકારી અને ખાનગી ઉપક્રમ ઠપ્પ રહેશે. સાથે જ વહાનો, વિજળી આપૂર્તિ સમેત ગેસ અને તેલ ક્ષેત્ર સાથે જોડાયેલી વસ્તુઓ પણ બંધ રહેશે. શુક્રવારે મોટા ભાગની સરકારી ઓફિસો પણ બંધ રહેશે. અને દિલ્હી, હૈદરાબાદ, બેંગલુરુના ઓટોરીક્ષા યુનિયને પણ બંધ પાળવાનો નિર્ણય કર્યો છે.

કંઇ વસ્તુઓ કાર્યરત રહેશે
રેલ્વે કર્મચારીઓને આ હડતાલમાં જોડાવા પર હજી સુધી નિર્ણય નથી લીધો, સ્કૂલો અને કોલેજોમાં પણ અનેક જગ્યાએ રજા જાહેર નથી કરાઇ.
શું છે માંગ?
સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા 2 સપ્ટેમ્બરેના રોજ હડતાલ જાહેર કરાઇ છે. તેમની 12 માંગણીઓ છે. જે મુજબ અસંગઠિત ક્ષેત્રથી જોડાયેલા કારીગરોને 18,000 રૂપિયા પ્રતિ માસ પગાર આપવામાં આવે. સાથે જ તેમણે શ્રમ કાનૂનમાં બદલાવની માંગણી પણ કરી છે.












Click it and Unblock the Notifications
