સેફ્ટી બિલના વિરોધમાં ભારત બંધ
નવી દિલ્હી: ભારતીય પ્રાઈવેટ ટ્રાંસપોર્ટ મજદૂર મહાસંઘે વિવિધ માંગોને લઈને 2 સપ્ટેબરે ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બિલ 2014ના વિરોધમાં છે.

ટ્રેડ યુનિયને ટ્રાન્સપોર્ટ સેફ્ટી બિલ 2014ને મજદૂર વિરોધી ગણાવ્યું છે. આ બંધનું એલાન જૂલાઈ મહિનામાં કરી દેવામાં આવ્યું હતુ.
આવો જાણીએ બંધના કારણો
1. ટ્રેડ યુનિયને કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ સેફ્ટી બિલ 2014 મજદૂર વિરોધી હોવાથી નાબૂદ કરવુ જોઈએ.
2. ડૉ.લાકરા કમિટીનો રીપોર્ટ લાગુ કરવામાં આવે.
3. ચાલક અને પરિચાલકના પરિવારને સામાજીક સુરક્ષા મળવી જોઈએ.
4. ટેક્સ પ્રણાલી એક સમાન કરવામાં આવે.
5. નેશનલ હાઈવે પર ચાલક અને પરિચાલક માટે વિશ્રામગૃહો બનાવવામાં આવે.
6. વાહનોની ચાલણનું મુલ્ય ભારતભરમાં સમાન હોવું જોઈએ.
શું રહેશે બંધ અને શું રહેશે ચાલુ
1. બંધ દરમ્યાન સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી ઑટો રીક્ષા અને બસ બંધ રહેશે.
2. કોલેજ અને ખાનગી શાળાઓ બુધવારે બંધ રહેશે.
3. દુકાનો અને શોપિંગ મોલ પણ બંધ રહેશે.
4. હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ખુલ્લા રહેશે.
5. સરકારી કાર્યાલયો ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
