Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આસામમાં રાહુલ ગાંધીની યાત્રાને લઈને હોબાળો, કોંગ્રેસ નેતાએ પીએમ મોદી, શાહ, હિમંત બિસ્વાને પડકાર્યા

Bharat Jodo Nyay Yatra: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને લઈને મંગળવારે આસામના ગુવાહાટીમાં ભારે હોબાળો થયો હતો. યાત્રાને ગુવાહાટીમાં પ્રવેશતા અટકાવ્યા બાદ કોંગ્રેસ નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પર નિશાન સાધ્યું છે.

આ દરમિયાન, આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ પોલીસને રાહુલ વિરુદ્ધ ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં, જ્યારે રાહુલની યાત્રાને ગુવાહાટી શહેરમાં પ્રવેશતા અટકાવવામાં આવી ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુસ્સે થઈ ગયા અને બેરિકેડ તોડવા લાગ્યા.

Rahul Gandhi

ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસે બે જગ્યાએ બેરીકેડ લગાવ્યા હતા. જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ બેરિકેડ તોડવાનું શરૂ કર્યું ત્યારે પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ પણ કર્યો હતો. યાત્રા અટકાવવા પર નારાજ રાહુલે કહ્યું, 'આસામના સીએમ, કેન્દ્રીય ગૃહમંત્રી અને પીએમ નિયમો તોડી શકે છે, પરંતુ અમે ક્યારેય આવું કરતા નથી.' લોકોને સંબોધતા, તેમણે દાવો કર્યો કે 'જો કે, તેનો અર્થ એ નથી કે અમે નબળા છીએ. કોંગ્રેસના કાર્યકરો 'બબ્બર શેર' છે.

આસામના મુખ્યમંત્રી સરમાએ કહ્યું હતું કે ટ્રાફિક જામની સમસ્યાને ધ્યાનમાં રાખીને યાત્રાને શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. પરંતુ, કોંગ્રેસનો આરોપ છે કે આસામ સરકાર યાત્રામાં અવરોધ ઉભા કરી રહી છે અને બિનજરૂરી રીતે પોલીસ ફરિયાદો દાખલ કરી રહી છે.

આસામના સીએમ સરમાએ ભારતીય યુવા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ બીવીને ટ્વિટર પર જવાબ આપતા લખ્યું, 'આ આસામી સંસ્કૃતિનો ભાગ નથી. અમારુ રાજ્ય શાંતિપૂર્ણ છે. આવી 'નકસલવાદી વ્યૂહરચના' અમારી સંસ્કૃતિથી સાવ અલગ છે. મેં આસામ પોલીસના ડીજીપીને સૂચના આપી છે કે તમારા નેતા રાહુલ ગાંધી સામે ટોળાને ઉશ્કેરવા બદલ કેસ નોંધો અને પુરાવા તરીકે તમે તમારા હેન્ડલ પર પોસ્ટ કરેલા ફૂટેજનો ઉપયોગ કરો.

આ બધી ઘટના ત્યારે બની જ્યારે રાહુલ લગભગ 5 હજાર કોંગ્રેસી કાર્યકરો સાથે પ્રતિબંધ હોવા છતાં ગુવાહાટીમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બાદમાં પોલીસે બેકાબુ કોંગ્રેસના કાર્યકરોને રોકવા માટે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ એવો આરોપ લગાવ્યો છે કે તેઓ એક યુનિવર્સિટીમાં ભાષણ આપવાના હતા, પરંતુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને આસામના સીએમના કહેવા પર તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.

તેમણે આરોપ લગાવ્યો કે, 'હું તમારી યુનિવર્સિટીમાં આવીને તમારી સાથે વાત કરવા અને તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે સમજવા માગતો હતો. ભારતના ગૃહમંત્રીએ આસામના સીએમને બોલાવ્યા અને પછી આસામના સીએમએ તમારી યુનિવર્સિટીના નેતૃત્વને બોલાવીને કહ્યું કે રાહુલ ગાંધીને વિદ્યાર્થીઓ વચ્ચે બોલવા દેવામાં ન આવે.'

તેમણે વધુમાં કહ્યું, 'એ જરુરી છે કે તમને કોઈને પણ સાંભળવાની છૂટ મળે. તમને કહેવામાં આવી રહ્યું છે કે તમારે આંખો બંધ કરીને આરએસએસ અને આ દેશની લીડરશીપની વાત માનવી પડશે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા સોમવારે મેઘાલયમાં પ્રવેશી હતી, પરંતુ મંગળવારે ફરી ગુવાહાટીની બહાર પ્રવેશી હતી. ગુરુવાર સુધી તેમની યાત્રા હવે આસામમાંથી જ પસાર થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X