ભારત જોડો યાત્રા: કન્હૈયા કુમારે રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત, યાત્રાને લઇ કરી વાતો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી લઇ કાશ્મીર સુધી જવાની છે. આ યાત્રાને લગભગ 60 દિવસ થઈ ગયા છે. આ યાત્રા ચાર રાજ્યોમાં લગભગ 1500 કિમીનું અંતર કાપીને મહારાષ્ટ્ર પહોંચી છે. નોંધનિય છેકે રાહુલ ગાંધીન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી લઇ કાશ્મીર સુધી જવાની છે. આ યાત્રાને લગભગ 60 દિવસ થઈ ગયા છે. આ યાત્રા ચાર રાજ્યોમાં લગભગ 1500 કિમીનું અંતર કાપીને મહારાષ્ટ્ર પહોંચી છે. નોંધનિય છેકે રાહુલ ગાંધીની આ મુલાકાતને જબરજસ્ત સમર્થન મળ્યું છે. રાહુલ ગાંધીની તથા ભારત જોડો યાત્રાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રવાસનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોંગ્રેસના ઈન્ડિયા જોડોના ઓફિશિયલ એકાઉન્ટ પરથી સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધી પોતાના સાથી મુસાફરો સાથે વાતચીત કરતા જોવા મળે છે. આ સાથે તેઓ સાથી મુસાફરોની સમસ્યાઓ વિશે પણ વાત કરી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા કન્હૈયા કુમારે રાહુલ ગાંધીની સામે સાથી યાત્રીઓની આવી સમસ્યા કહી, જેને સાંભળીને ત્યાં હાજર તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
વાતચીત દરમિયાન કન્હૈયા કુમારે રાહુલ ગાંધીને કહ્યું કે પ્રવાસ દરમિયાન જે જામર ચાલે છે તેની બેન્ડ ઓછી કરી દેવી જોઈએ. નહીં તો ઘણા લોકોના છૂટાછેડા થઈ જશે... બ્રેકઅપ થઈ જશે, ફોન પર વાત કરવી શક્ય નથી. આ સાંભળીને રાહુલ ગાંધી સહિત હાજર તમામ લોકો હસી પડ્યા. જો કે આ સમસ્યા અંગે તમામ લોકો પણ સહમત થયા હતા.
કન્હૈયા કુમારની વાત સાંભળ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ કોઈ જામર નથી, મેં તેમને કહ્યું છે કે જામર ન ચલાવો, સમસ્યા એ છે કે 200-300 લોકો છે, તેઓ વીડિયો ફોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેથી નેટવર્ક પર વધુ ભાર રહે છે તેથી જ સમસ્યા સર્જાય છે. ઉલ્લેખનિય છેકે જામર એક એવું ઉપકરણ છે જે નિર્દિષ્ટ સ્થાનની મધ્યમાં તમામ સિગ્નલોને બ્લોક કરે છે.
રાહુલ ગાંધીને Z+ શ્રેણીની સુરક્ષા મળી છે. આ અર્થમાં સુરક્ષા એજન્સીઓ તે વિસ્તારને સુરક્ષિત રાખવા માટે જામરનો ઉપયોગ કરે છે. જો કે, ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ લોકોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જામર ચાલુ ન કરવા સૂચના આપી છે.