આસારામની આધ્યાત્મિક ઘુરા તેમની દીકરી ભારતીના શીરે
પાંડખી અને પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેસની સજા થતા હવે આગામી 14 વર્ષ સુધી બહાર આવવાનું આસારામ માટે લગભગ અશક્ય છે.
પાંડખી અને પોતાને ભગવાન ગણાવતા આસારામને સગીરા સાથે દુષ્કર્મ મામલે આજીવન કેસની સજા થતા હવે આગામી 14 વર્ષ સુધી બહાર આવવાનું આસારામ માટે લગભગ અશક્ય છે. બીજી તરફ આસારામનો પુત્ર નારાયણ સાંઇ પણ બળાત્કારનો ગંભીર આરોપ છે અને તે હાલ સુરતની લાજપોર જેલમાં છે. ત્યારે આસારામના કરોડો રૂપિયાના સામ્રાજ્યનું શાસન હવે આસારામની 41 વર્ષની દીકરી ભારતીને સોંપવામાં આવી છે. જેમાં દેશ અને વિદેશમાં આવેલા 400 જેટલા આશ્રમની જવાબદારી પણ ભારતી નિભાવશે. કહેવાય છે કે આસારામની આશ્રમની પ્રોપર્ટીની કિંમત અંદાજે 12000 કરોડ રૂપિયા છે અને આ ઉપરાંત, વિવિધ ફિક્સ ડીપોઝીટ તેમજ અન્ય મિલકતો મળીને તેની કિંમત રૂપિયા 15000 કરોડની ઉપરાંત, છે ત્યારે આ તમામ પ્રોપર્ટીનું સંચાલન ભારતીએ તેના હાથમાં લીધુ છે. જો કે આસારામ આશ્રમ આધ્યાત્મિકતા પર ચાલે છે જેથી આસારામની માફક સતસંગની પ્રવૃતિ સંભાળશે.

ભારતીએ તેના પિતાની જેમ પ્રવચનની શરૂઆત કરી દીધી છે
ઉલ્લેખનીય છે કે આસારામની પત્ની લક્ષ્મી પણ મોટેરા આશ્રમ રહે છે પણ તેની તબિયત નાદુરસ્ત રહેતા હવે આસારામને સજા થતા તે સક્રિય થઇ છે અને હવે નિયમિત રીતે સંસ્થાની કામગીરી જોશે અને પ્રવચન પણ આપશે. જો કે છેલ્લાં ત્રણ વર્ષથી ભારતીએ તેના પિતાની જેમ પ્રવચનની શરૂઆત કરી દીધી છે અને તેના ભક્તો પણ નોંધપાત્ર રીતે વધી રહ્યા છે.

ભારતી પણ ચાંદખેડા ખાતે નોંધાયેલા કેસમાં આરોપી
ભારતી પણ ચાંદખેડા ખાતે નોંધાયેલા કેસમાં આરોપી છે અને હાલ તે જામીન પર છે. તેના પર સુરતની યુવતીએ આક્ષેપ લગાવ્યો હતો કે ભારતી પણ આસારામ માટે યુવતીઓ લઇને તેના રૂમમાં લઇ જતી હતી. જો કે આ બાબત સાબિત કરવી પોલીસ માટે ખુબ કઠીન છે. જેથી ભારતીને ખાતરી છે કે હવે આસારામની મિલકતોની તે એકલી વારસદાર છે.

2007થી તેણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધુ હતું
ભારતીનો અભ્યાસ એમ કોમ સુધીનો છે અને તેના લગ્ન 1997માં આસારામના ભક્ત પરિવારમાંથી આવતા હેંમત બોરાની સાથે થયા હતા પણ ત્રણ વર્ષમાં જ તેનું લગ્ન જીવન ડામાડોળ થઇ જતા તેણે વર્ષ 2001માં છુટાછેડા લઇ લીધા હતા અને બાદમાં આશ્રમમાં જ રહેતી હતી. અને વર્ષ 2007થી તેણે પ્રવચન આપવાનું પણ શરૂ કરી દીધુ હતું.

આશ્રમ અંગેનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા
જો કે આ અગે મોટેરા આશ્રમના સંચાલક વિકાસ ખેમકા કહે છે કે હાલ બધા આશ્રમ અંગેનો નિર્ણય ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવે છે અને ભારતીને સમગ્ર વહીવટ સોંપવામાં આવ્યો તે વાત સાવ ખોટી છે.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
