ભીમ આર્મીના ચીફ રાવણને કરાયો મુક્ત, કહ્યુઃ ‘ભાજપને હરાવીશુ'
ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ઉર્ફે રાવણને મોડી રાતે જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે તેઓ ભાજપને હરાવશે.
ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર ઉર્ફે રાવણને મોડી રાતે જેલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે ભાજપ પર હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે તેઓ ભાજપને હરાવશે. જેલમાંથી બહાર નીકળ્યા બાદ મોટ સંખ્યામાં તેમના સમર્થકો તેમની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન રાવણના હાથમાં બંધારણની એક પ્રત હતી જેને બતાવીને તેમણે કહ્યુ કે હજુ તો લડાઈ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાવણને સહારનપુરમાં જાતીય હિંસા દરમિયાન હિંસા ભડકાવવાના આરોપમાં જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા.

ભાજપને હરાવીશુ
ઉત્તરપ્રદેશની યોગી સરકારે રાવણને સમય પહેલા મુક્ત કરવાનો નિર્ણય લીધો ત્યારબાદ મોડી રાતે લગભગ 2.24 વાગે તેમને મુક્ત કરવામાં આવ્યા. મુક્તિ બાદ રાવણે કહ્યુ કે ભાજપ સરકાર 10 દિવસની અંદર તેની પર કોઈને કોઈ કેસ લગાવીને ફરીથી જેલમાં મોકલવાની કોશિશ કરશે. રાવણમ પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યુ છે કે યોગી સરકારે દલિતોને ખુશ કરવા માટે આ નિર્ણય લીધો છે. પરંતુ જે રીતે જેલમાંથી મુક્ત થયા બાદ રાવણે ભાજપ પર હુમલો કર્યો અને તેને હેરાન કરવાની વાત કરી છે તેણે પક્ષની મુશ્કેલીઓ વધારી દીધી છે.

ભાજપ માટે મુશ્કેલી
તમને જણાવી દઈએ કે ભીમ આર્મીનો પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં ઘણો પ્રભાવ છે. ભાજપના મોટા નેતાઓએ પોતે આ વાતનો સ્વીકાર કર્યો હતો કે કેરાના નૂરપુર પેટાચૂંટણીમાં ભાજપની હાર માટે એક મોટુ કારણ ભીમ આર્મી હતુ. આ વિસ્તારોમાં ભીમ આર્મીએ દલિતો અને મુસલમાનોને એકજૂટ કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો.

યુપી સરકારે કર્યુ હતુ મુક્તિનું એલાન
આ પહેલા ઉત્તરપ્રદેશ સરકાર તરફથ ગુરુવારે જાહેર કરાયેલ વિજ્ઞપ્તિમાં જણાવવામાં આવ્યુ હતુ કે ચંદ્રેશેખર ઉર્ફે રાવણને સરકારે મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. જાહેર કરાયેલ પત્રમાં લખવામાં આવ્યુ કે ચંદ્રશેખર ઉર્ફે રાવણ પુત્ર ગોવર્ધનની મુક્તિના અનુસંધાનમાં તેમની માતાની વિનંતીઓ અને વર્તમાન પરિસ્થિતિઓને જોતા ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક વિચાર કરાયા બાદ ચંદ્રશેખરની માતાની વિનંતીઓ પર વિચાર કરતા તેમને સમય પહેલા મુક્ત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાવણને પહેલા એક નવેમ્બર સુધી જેલમાં રહેવાનું હતુ પરંતુ હવે તેને જલ્દી મુક્ત કરી દેવામાં આવ્યા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
