ભીમ આર્મીના વડા ચંદ્રશેખરને જામીન શરતોમાંથી મળી રાહત, કોર્ટે દિલ્હીમાં પ્રવેશવાની આપી મંજુરી
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર દિલ્હી આવી શકશે. મંગળવારે દિલ્હીની તીસ હજારી કોર્ટે તેના જામીનની શરતોમાં થોડી છૂટ આપીને તેને દિલ્હી આવવાની મંજૂરી આપી છે.
ભીમ આર્મીના વડા ચંદ્રશેખર દિલ્હી આવી શકશે. મંગળવારે દિલ્હીની તીસ હજારી કોર્ટે તેના જામીનની શરતોમાં થોડી છૂટ આપીને તેને દિલ્હી આવવાની મંજૂરી આપી છે. જો કે, તેમણે દિલ્હી પોલીસને તેમના કાર્યક્રમો વિશે જણાવવાનું છે.
ચંદ્રશેખરને કોર્ટે આપ્યા હતા શરતી જામીન
નાગરિકત્વના કાયદા વિરૂદ્ધ જામા મસ્જિદમાં પ્રદર્શન કરવા બદલ તેમને દિલ્હી પોલીસે ધરપકડ કરી હતી. જેના પછી ચંદ્રશેખરને 16 જાન્યુઆરીએ તીસ હજારી કોર્ટે જામીન આપી દીધા હતા, પરંતુ જામીન શરતી હતી જેમાં તેમને 24 કલાકની અંદર દિલ્હી છોડવાનું કહેવામાં આવ્યું હતું.
જામીનની શરતોમાં આપી છુટ
જામીનની શરતો પર ફરીથી વિચારણા કરવા અંગે ચંદ્રશેખર દ્વારા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના પર કોર્ટે તેમને મંગળવારે દિલ્હી આવવાની મંજૂરી આપી હતી. તીસ હજારી કોર્ટે ભીમ આર્મી ચીફના બેલમાં કેટલાક સુધારા કર્યા છે. કોર્ટે તેના સુધારામાં કહ્યું છે કે જ્યારે પણ ચંદ્રશેખર દિલ્હી આવવાના છે, ત્યારે તેઓ ડીસીપી ક્રાઈમને કહેશે, જો તમે ડીસીપી સાથે ફોન પર વાત નહીં કરી શકો તો તમારે ઇમેઇલ કરવો પડશે. જ્યારે તમે બહાર જાઓ ત્યારે પણ કહીને જશે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, જો તેઓ દિલ્હી આવવા માંગતા હોય તો તેઓ કોર્ટ દ્વારા આપેલા સરનામે રોકાશે.
દિલ્હી આવવા માટે કરવું પડશે આ શરતોનું પાલન
ચંદ્રશેખર આઝાદની સંસ્થા ભીમ આર્મીએ 20 ડિસેમ્બરે સીએએ વિરુદ્ધ જામા મસ્જિદથી જંતર મંતર સુધીની પદયાત્રા કાઢી હતી. પોલીસે તેની મંજૂરી આપી ન હતી. ચંદ્રશેખર અહીં પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. 26 દિવસ જેલમાં રહ્યા બાદ 16 જાન્યુઆરીએ તેને કોર્ટે જામીન આપ્યા હતા. તીસ હજારી કોર્ટે કોઈ પણ પ્રદર્શનમાં ન આવવાની અને 24 કલાકની અંદર દિલ્હી છોડવાની શરતે તેને જામીન આપી દીધા હતા. આવી સ્થિતિમાં, 17 જાન્યુઆરીએ ચંદ્રશેખર સહારનપુર તેમના ગામ ગયા હતા.