ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની કરી ઘોષણા, બનાવશે નવી રાજકીય પાર્ટી
ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી છે. ચંદ્રશેખરે બુધવારે રાજધાની લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજી હતી.
ભીમ આર્મીના સ્થાપક ચંદ્રશેખરે સક્રિય રાજકારણમાં પ્રવેશવાની ઘોષણા કરી છે. ચંદ્રશેખરે બુધવારે રાજધાની લખનૌમાં એક પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું કે તેઓ બહુજન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની ટૂંક સમયમાં જાહેરાત કરશે.

બસપાએ ન આપ્યો કોઇ જવાબ
ચંદ્રશેખર કહે છે કે તેમણે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાવાના અનેક પ્રયાસો કર્યા હતા, પરંતુ હજુ સુધી બસપા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે બહુ જન સમાજ માટે રચાયેલી નવી રાજકીય પાર્ટીની જાહેરાત તેઓ ટૂંક સમયમાં કરશે. તેમણે કહ્યું કે તેઓ લખનઉમાં પાર્ટીની ઓફિસ બનાવશે.
નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ કરશે આંદોલન
નાગરીકતા સંશોધન બિલ વિશે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરે કહ્યું કે તે તેની વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે તેઓ નાગરીકતા સંશોધન બિલ વિરૂદ્ધ પણ આંદોલન કરશે.
આ પણ વાંચો: ડિફેન્સ સેટેલાઇટ રીસેટ-2BR1 લોંચ કરાયો, બાલાકોટ જેવા મિશનમાં મળશે મદદ












Click it and Unblock the Notifications
